રાજકોટના રહેવાસી દંપતી પર ૪ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી ધોકા તરવાર વડે હુમલો કર્યો. લોહીલુહાણ થઈ જતાં દંપતીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મળતી વિગત મુજબ રૈયાધારનાં રહેવાસી રાજેશ ભોરાણીયા તેની પત્ની રેખા સાથે દવાખાને જઈ રહયા હતા ત્યારે ૪ શખ્સોએ તેમના પર હુમલો કર્યો. બે દિવસ પહેલા રાજેશના ભાઈ લાલા સાથે થયેલ માથાકુટનો ખાર રાખી હિંચકારો હુમલો કર્યો હોવાની વાત સામે આવી છે. બનાવની જાણ થતાં યુનિ. પોલીસ દોડી ગઈ હતી બનાવ અંગેની વધુ વિગત અનુસાર ઈન્દિરા નગ૨ મફતીયાપરામાં રહેતા રાજેશભાઈ બિજલભાઈ ભોણીયા (ઉ.વ.૪૨) અને તેમની પત્ની રેખાબેન આજ બપોરે પોતાની બાઈકમાં સવા૨ થઈ દવાખાનાના કામે જઈ રહયા હતા ત્યારે ઘસી આવેલા પિયુષ, લાલો, ધમો, સુરથારી અને અન્ય અજાણ્યા શખ્સોએ ઝગડો કરી ધોકા અને તલવારથી હુમલો ક૨તા દંપતિને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જેમને માણસો એકઠા થઈ જતા તાત્કાલીક સા૨વા૨માં અત્રેની સીવીલે ખસેડાયા હતા. બનાવ અંગેની જાણ થતાં યુનિ. પોલીસ સીવીલે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન લઈ હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી. વધુમાં માહીતી અનુસાર ઈજાગ્રસ્ત રાજેશના નાના ભાઈ લાલા સાથે હુમલાખોર પિયુષને રૈયાધારમાં આવેલ મચ્છીની દુકાને કોઈકા૨ણોસ૨ ઝગડો થયો હતો અને પિયુો લાલાને ધોકાથી ફટકાર્યો હતો. જે મામલે રાજેશએ મધ્યસ્થી કરી હતી જેનો ખાર રાખી હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર