જગન્નાથ મંદિરે તથા સાબરમતી નદીના તટે જળયાત્રામાં
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને
ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પૂજનવિધિ કરવામાં આવી:
Shantishram News, Diyodar, Gujarat.

અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને થી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી.
આ જળયાત્રામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ Nititn Patel અને ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા Pradipsinh jadeja નદીમાંથી લવાયેલ પવિત્ર જળ ભરેલ કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજી Bhagwan Jagannath ને જળાભિષેકમા સહભાગી થયા હતા

વધુ વાંચો: બરોડા મેડિકલ કોલેજનો પેથોલોજી વિભાગ મ્યુકર ના દર્દીઓનું જીવન બચાવવામાં ખૂબ મહત્વનો ફાળો આપી રહ્યો છે
રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રા Ahmedabadના નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે.
ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવેલ કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાત Gujarat માં ભગવાન જગન્નાથજીની Rathyatraનું આયોજન કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહી પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે શાંતિ-સલામતિ-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ State Government ની અગ્રીમતા છે…

કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થા કેંદ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે.

વધુ વાંચો: સુરત નવી સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં એક સમયે ૨૦૦૦થી વધુ કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા આજે સંખ્યા બે આંકડામાં આવતા રાહત.
આજે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધી કરવામાં આવી જેનો અમને અનેરો આનંદ છે.મંત્રોચ્ચાર દ્વારા જળાભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલ પૂજન અને આ મંત્રોચ્ચારે શહેરના વાતારણમાં સકારાત્મકતાનો સંદેશ અને તેની સોડમ પ્રસરાવી છે.
જગન્નાથ મંદિરમાં સ્વામી શ્રી દિલિપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ ઝા દ્વારા સમાજઉપયોગી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે.રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને લોકઉપયોગી બન્યા છે.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રમિતા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી એ ભારપૂર્વક કહ્યું કે, આ વર્ષે કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને કોરોનાની સ્થિતનો તાગ મેળવી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે.
આજે યોજાયેલ રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં સંતો, મહંતો, સમાજ અને શહેરના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો
શાંતિશ્રમ જોડે
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક