ક્રિકેટ ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમ માટે આવનારા 5-6 મહિના મેચથી ભરપૂર રહેવાના છે. કેટલાક દિવસ બાદ ઇંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે, તે બાદ પણ કેટલીક સીરિઝ, એશિયા કપ અને પછી ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 વર્લ્ડકપ બાદ ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે, જેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.ભારત ન્યૂઝીલેન્ડમાં 3 વન ડે અને 3 ટી-20ની સીરિઝ રમશે. આ સીરિઝ 18 નવેમ્બરથી શરૂ થશે અને 30 નવેમ્બર સુધી રમાશે. કારણ કે ટી-20 વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયામાં છે અને ન્યૂઝીલેન્ડ પાસે જ છે, એવામાં ટીમ ઇન્ડિયા એક જ વખતમાં આ મિશન પૂર્ણ કરીને આવશે.ભારત વર્સિસ ન્યૂઝીલેન્ડ18 નવેમ્બર, 2022, પ્રથમ ટી-2020 નવેમ્બર, 2022 બીજી ટી-2022 નવેમ્બર 2022, ત્રીજી ટી-2025 નવેમ્બર, 2022, પ્રથમ વન ડે27 નવેમ્બર, 2022, બીજી વન ડે30 નવેમ્બર, 2022, ત્રીજી વન ડેમહત્વપૂર્ણ છે કે ટી-20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે જ્યારે ફાઇનલ મેચ 13 નવેમ્બરે રમાશે. જો ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોચે છે તો તેને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે 5 દિવસનો સમય મળશે. કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં હજુ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડમાં છે, જ્યા તે ટેસ્ટ, વન ડે અને ટી-20 સીરિઝ રમશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો