નડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા શરૂ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપાઈનડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ, રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા શરૂ ખેલાડીઓને રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપાઈ નડિયાદ ખાતે 11મા ખેલ મહાકુંભનો પ્રારંભ થયો હતો. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ દ્વારા આયોજીત 11મા ખેલ મહાકુંભનો આજે ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્ય કક્ષાના એથ્લેટીક્સની અંડર-11, અંડર-14 અને અંડર- 17ઓપન ભાઇઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધા તા. 28 મે સુધી ચાલનાર છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ઓથ્લેટીક્સ એસોસીએશનના સેક્રેટરી લક્ષ્મણ કરજ ગાવકરે પ્રાસંગીક ઉદબોધનમાં જીવનમાં રમતગમતનું મહત્વ સમજાવી રમતગમતથી થતા લાભોની વિસ્તૃત માહિતી આપી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા. અંતમાં આભારવિધિ જિલ્લા રમતગમત અધિકારી મનસુખ તાવેથીયાએ કરી હતી. આ પ્રસંગે એથ્લેટીક્સના આંતરરાષ્ટ્રીય મેડાલીસ્ટ ખેલાડી બાબુભાઇ પણુચા, ઇન્ટરનેશનલ પેરા એથ્લેટીકસ મેડલીસ્ટ ખેલાડી ગૌરીબેન પટેલ, મેનેજર, કોચ તથા રાજ્યભરમાંથી આવેલ ખેલાડીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર