આજે અષાઢી બીજનાં દિવસે સુદામાનગરી જગન્નાથપુરી બની હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરનાં સુદામામંદિર નજીક આવેલા જગન્નાથજીનાં મંદિરે આજે સવારથી શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. જગન્નાથજીનાં મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યાં હતાં અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે અનિવાર્ય સંજોગોને કારણે રથયાત્રા નહીં નિકળે પરંતુ નીજ મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યાં છે. અહીં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સુદામાનગરીમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠયો હતો. અષાઢી બીજનાં દિવસે ભગવાનનાં દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. અહીં આવતાં દર્શનાર્થીઓએ ભગવાન જગન્નાથજીને પુષ્પ અને ફળ અર્પણ કર્યા હતાં. અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પોરબંદરમાં આજે વિવિધ મંદિરો ખાતે પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભગવાન જન્નાથજી ઉપરાંત રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું પણ આયોજન શહેરનાં વિવિધ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આજે અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભકિતમય માહોલ જોવા મળ્યો હતો.
Trending
- મહાકુંભના શિબિરમાં યમરાજની પૂજા થઈ , યમરાજને સંગમના પાણી અને માટી સાથે ચુરુમાં મૂકવામાં આવશે
- યુપીમાં મુસ્લિમોએ હિન્દુ સમુદાય માટે જમીન દાનમાં આપી, સલીમ કુરેશીની જમીન પર મંદિર બનશે
- યુપીમાં બિકાનેર એક્સપ્રેસ અને મુરી સહિત નવ ટ્રેનો રદ, ઘણી ટ્રેનોના રૂટ બદલાયા
- યુપી બોર્ડની પરીક્ષા દરમિયાન સુરક્ષા વ્યવસ્થા કડક રહેશે, ડીજીપીએ તમામ કમિશનરો અને એસપીને આ સૂચનાઓ આપી
- યુપીમાં 92 હજાર લોકોને નોકરી મળશે, બજેટમાં સીએમ યોગીનું મોટું વચન
- હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા પ્રવાસની સુવિધા શરૂ, રામનગરીનો હવાઈ નજારો દેખાશે
- પ્રયાગરાજમાં રેલવેનો ઇમરજન્સી પ્લાન સમાપ્ત, સ્ટેશનો પર ભીડ ઓછી કરવા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી
- યોગી સરકારનું 9મું બજેટ રજૂ થયું, જાણો કોને શું લાભ મળ્યો?