આજે અષાઢી બીજનાં દિવસે સુદામાનગરી જગન્નાથપુરી બની હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદરનાં સુદામામંદિર નજીક આવેલા જગન્નાથજીનાં મંદિરે આજે સવારથી શ્રદ્ધાળુઓનો સાગર છલકાયો હતો. જગન્નાથજીનાં મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યાં હતાં અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. આ વર્ષે અનિવાર્ય સંજોગોને કારણે રથયાત્રા નહીં નિકળે પરંતુ નીજ મંદિરમાં પૌરાણીક રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરવામાં આવ્યાં છે. અહીં પોરબંદર ઉપરાંત અન્ય વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યાં હતાં. શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે સુદામાનગરીમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠયો હતો. અષાઢી બીજનાં દિવસે ભગવાનનાં દર્શનનું ખાસ મહત્વ રહેલું છે. અહીં આવતાં દર્શનાર્થીઓએ ભગવાન જગન્નાથજીને પુષ્પ અને ફળ અર્પણ કર્યા હતાં. અને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. પોરબંદરમાં આજે વિવિધ મંદિરો ખાતે પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. ભગવાન જન્નાથજી ઉપરાંત રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું પણ આયોજન શહેરનાં વિવિધ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આજે અષાઢી બીજનાં પવિત્ર દિવસે ભકિતમય માહોલ જોવા મળ્યો હતો.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો