ભગવાન જગન્નાથની રથયાત્રામાં ૧૭૦૦ મણ ફણગાવેલા મગ અને ચણાનો પ્રસાદ વિતરણ કરાશે છેલ્લા બે વર્ષથી કોરોનાની સંક્રમણને કારણે ગુજરાતની બીજા નંબરની અને ભારતભરમાં ત્રીજા નંબરની ગણાતી ભગવાન શ્રી જગન્નાથજીની પાટણના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી શ્રી જગદીશ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળતી લાખોની જનમેદની સાથેની રથયાત્રા સહિતના ધાર્મિક ઉત્સવો ખૂબ જ સાદગીપૂર્ણ રીતે અને સરકારની કોરોના ગાઇડલાઇન મુજબ ઉજવવામાં આવ્યા હતા . પરંતુ ચાલુ સાલે જગતના નાથ જગન્નાથની અસીમ કૃપા વરસતા કોરોનાની મહામારી દૂર થઈ છે . ત્યારે આગામી તારીખ ૧ લી જુલાઈ ના રોજ શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભવ્યાતિભવ્ય ભગવાન શ્રી જગન્નાથજી , ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની ૧૪૦ મી રથયાત્રાને લઈને શ્રી જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને રથયાત્રા સમિતિ સહિત ભગવાન જગન્નાથજીના ભક્તોમાં તેમજ પાટણના નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે . ભગવાનની રથયાત્રા ને યાદગાર બનાવવા શ્રી જગદીશ મંદિર પરિસર ખાતે તડામાર તૈયારીઓની સાથે સાથે રથયાત્રા સમિતિ દ્વારા શહેરના નાના – મોટા સૌ દાતાઓ પાસેથી દાન , ભેટ , પ્રસાદ માટે ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે જેને શહેરીજનો તરફથી સુંદર સહિયોગ સાંપડી રહ્યો છે . છેલ્લા બે વર્ષથી કોરાનાની મહામારી નાં કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવેલ અષાઢીબીજ નાં પવૅનો ચાલુ સાલે સૌ કોઈ માં અનેરો ઉત્સાહ , ઉમંગ વ્યાપીયો છે ત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તોના
Trending
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું