આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે સુદામાનગરી પોરબંદરમાં શિવનાદ જોવા મળ્યો હતો. આજે પ્રાત:કાલથી શિવ મંદિરોમાં શિવભકતો ઉમટી પડયા હતાં. દેવાધીદેવ મહાદેવને જલાભિષેક, દુધ, બિલ્વપત્ર ચડાવી ઓમ: નમશિવાયનાં મંત્ર સાથે પુજા-અર્ચના કરી હતી. સવારનાં સમયે શિવ પૂજા અને સાંજે શિવશણગારનાં દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. આજથી શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. ત્યારે શિવાલયોને ધજા પતાકા અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સમગ્ર શ્રાવણમાસ દરમિયાન શિવભકિતનો સાગર છલકાશે. તેમજ દર સોમવારે શિવજીનાં વિવિધ સ્વરૂપોના દર્શનનો આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર શહેરમાં પૌરાણીક ચાડેશ્વર, ધીંગેશ્વર, ભાવેશ્વર, કેદારેશ્વર, જડેશ્વર, ઓમકારેશ્વર મહાદેવ તેમજ બિલેશ્વર ખાતે આવેલા બિલનાથ મહાદેવ, કુછડી ખાતે આવેલા ખીમેશ્વર મહાદેવ અને રાણાવાવની જાંબુવનની ગુફામાં સ્વયંભુ બનેલા શિવલીંગની શ્રઘ્ધાળુઓ દ્વારા પૂજા-અર્ચના અને દર્શન કરવામાં આવશે. આજે શ્રાવણ માસનાં પ્રથમ દિવસે સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી શિવભકતો પુજા-અર્ચના તેમજ દર્શનાર્થે આવી પહોંચ્યાં હતાં. જડેશ્વર મંદિરે શ્રાવણ માસ નિમીતે દરરોજ અલગ- અલગ દર્શનનો આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત સોમવારે વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવશે. આજથી શ્રાવણ માસનો પ્રારંભ થતાં શિવભકતોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. અને હર હર મહાદેવનાં નાદથી વાતાવરણ પવિત્ર બની ગયું છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર