મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિના પરિવારો માટે વસાહત તેમજ બાળકો માટે છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. આના લીધે એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજીરોટી માટે ફરતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને હવે રહેવાનું કાયમી સરનામું મળ્યું છે. મુખ્યમંત્રી એ વિચરતી જાતિના સમુદાયને સંબોધતા કહ્યું કે, તમને આગળ વધારવા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે ત્યારે કુરિવાજોમાંથી બહાર આવીને આગળ વધીએ. તેમણે આ પરિવારોને બાળકોને ભણાવવા માટે હાર્દભરી અપીલ પણ કરી હતી. વિચરતી જાતિના લોકો માટે અનેક પ્રકારના એનજીઓ તેમને અન્ય સેવાકીય સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે વિચરતી જાતિના લોકોને એજ્યુકેશન આપવા થી લઈને તેમને વિવિધ રોજગારીની તકો આપવાને લઈને કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ દિશામાં વિવિધ સંસ્થાઓ ની સાથે સાથે સરકતા દ્વારા પણ આગામી સમયમાં વધુ સાધન સહાય પહોંચતિ કરવામાં આવે તેમજ અન્ય પ્રકારની સવલતો, યોજનાઓ લાગુ કરવામાં આવે તે પણ તેમના માટે જરૂરી હોવાનું તેમની સાથે જોડાયેલા લોકોની માનવું છે. ત્યારે સરકાર પણ આ દિશામાં ગતિશીલ રીતે આગળ વધી રહી છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર