શહેરીજનોને કમાટીબાગના દર્શન કરાવતી જોય ટ્રેનના ઇજારદારે 4 વર્ષથી અકસ્માત વીમા પોલિસી ભરી ન હોવાની વિગતો સપાટી પર આવતાં પાલિકા અને ઇજારદારની ગંભીર બેદરકારી છતી થઈ છે. ભૂલ સમજાતાં ભાનમાં આવેલા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ઇજારદારને નોટિસ ફટકારીને જોય ટ્રેન સહિતની બધી રાઈડ્સ બંધ કરાવી હતી. કમાટીબાગમાં 2012માં જોય ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે જોય ટ્રેનના ઇજારદારે એમઓયુની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જોય ટ્રેનના ઇજારદારે નિયમો મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. જોકે ઇજારદારે 2019થી ઇન્સ્યોરન્સ લીધો ન હોવાનું સપાટી પર આવ્યું છે.આ અંગે જાગૃત નાગરિક અમિત રાજે જણાવ્યું હતું કે, ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધી નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નથી. તદુપરાંત પાલિકા સાથે થયેલા કરાર મુજબ શેરિંગની 70 લાખથી વધુની રકમ પણ ઇજારદારે ભરી નથી. જેથી તાત્કાલિક ધોરણે ખોડલ કોર્પોરેશનનો ઇજારો રદ કરી કાર્યવાહી કરવામાં આવે.ગાર્ડન વિભાગે શનિવારે ઇજારદાર ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી. જેમાં જોય ટ્રેન, રાઇડ્સ અને રિક્રિયેશનની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરી લાઇસન્સ, વીમા પોલિસી અને બાકી નીકળતી રેવન્યુ શેરિંગ રકમ જમા કરાવવા સૂચના આપી છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર