હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટી નાં કન્વેન્શન હોલ ખાતે બુધવારે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. જેમા કેન્દ્ર સરકાર જ્યારે સુશાસન નાં 8 વર્ષ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માં ઉપસ્થિત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિવિધ યોજના નાં લાભાર્થી ઓ સાથે સંવાદ કરી ને તેમને મળેલાં લાભો જાણવા નો પ્રયત્ન કર્યો હતો. સંવાદ કાર્યક્રમ માં સરકાર ની 13 ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકીના દરેક યોજનાના બે લાભાર્થી ઓ સાથે આરોગ્યમંત્રી એ સીધો સંવાદ કર્યો હતો. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે દરેક તાલુકા માં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાની સરકારની હવે વિચારણા કરી રહી છે. 8 વર્ષમાં સરકારે નવા આયામો સર કર્યા છે. અને વિકાસને વેગ આપ્યો છે. દેશનાં વડાપ્રધાન ગુજરાતને હંમેશા આગળ રાખે છે. ગરીબ અને જરૂરીયાતમંદની સેવા એ જ સરકારની પ્રાથમિકતા અને પ્રતિબદ્ધતા રહી છે. કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, કિશોરભાઈ મહેશ્વરી કલેક્ટર સહિતના હાજર હતા.
Trending
- અદાણી કંપનીએ આ સૌર પ્રોજેક્ટ શરૂ કર્યો, શું સુસ્ત સ્ટોકમાં ચમક પાછી લાવશે ?
- આ 5 વસ્તુઓ ક્યારેય ખિસ્સામાં ન રાખો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ રાખવાથી દુર્ભાગ્ય લાવે છે.
- શું લીંબુ વજન ઘટાડવાનો એક અચૂક ઈલાજ છે? લીંબુ પાણી પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- આજનું પંચાંગ 22 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ પાંચ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે , દૈનિક રાશિફળ વાંચો
- આલિયાની વેણી અને કરીનાનો કુર્તા હેડલાઇન્સમાં, મહેંદી ફંક્શનમાં જોવા મળી અદ્ભુત ફેશન
- મહાશિવરાત્રી પર ભગવાન શિવના જલાભિષેક માટે આ બ્રહ્મ મુહૂર્ત, જાણો ચારેય પ્રહરમાં પૂજાનો સમય
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા