વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટી તેમજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ સરકારી યોજનાઓના શિલાન્યાસ તેમજ લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આજવા રોડ સ્થિત લેપ્રસી ગ્રાઉન્ડમાં તેઓની જંગી જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના ભાગરૂપે છેલ્લા ૧૮ દિવસથી વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ થી આજવા રોડ તરફ ના માર્ગની કાયાપલટ કરી દેવામાં આવી હતી ઠેર ઠેર સુશોભન અને વૃક્ષારોપણ કરી વિસ્તારને અલકાપુરી જેવો પોશ વિસ્તાર બનાવી દેવાયો હતો. વર્ષોથી રખડતી ગાયો માટે પ્રચલિત આજવા રોડ ૧૮ દિવસથી ઢોર મુક્ત બની ગયો હતો. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા પૂરી થઇ અને તેઓ દિલ્હી પહોંચે તે પહેલા ફરીવાર ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડ પર રખડતા ઢોરોની એન્ટ્રી જોવા મળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવવાના હોય વડોદરા શહેરના તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ન્યુ વીઆઇપી રોડ તેમજ આજવા રોડના શણગાર જોઈને સોશિયલ મીડિયા પર મિમ્સ વાયરલ થતા હતા કે આજવા રોડ પર અલકાપુરી જેવું ફીલ મળી રહ્યું છે. જોકે આ ક્ષણિક ફીલિંગ મોદી સાહેબના દિલ્હી પહોંચ્યા પહેલાં જ ચકનાચૂર થઈ છે
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો