નડિયાદમાં યોજાયેલા રાજ્યકક્ષાના લોકાર્પણ સમારોહમા નડિયાદની સેવાકીય સંસ્થાઓને અને વ્યક્તિઓને સન્માનિત કરાયા કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંસ્થાના લોકોને બીરદાવ્યા નડિયાદ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના લોકાર્પણ સમારોહમાં નડિયાદની સેવાકીય સંસ્થાઓને અને વ્યક્તિ વિશેષને સન્માનિત કરાયા હતા.’સવર્જન હિતાય, સર્વજન સુખાય’ના મંત્રને સાર્થક કરી સેવાભાવથી કામ કરતી જિલ્લાની વિવિધ ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓને આ તબક્કે ખાસ બિરદાવવામાં આવી હતી. આ ઉપરાંત માનવ સેવા કાર્યો થકી સામાજિક ઉત્થાનની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી રહેલી સામજીક સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષ લોકોનુ સન્માન કરવામાં આવ્યું હતું. નડિયાદ હેલીપેડ ગ્રાઊન્ડમાં યોજાયેલા પોલીસ આવાસ લોકાર્પણ પ્રસંગે ચરોતરની સેવાભાવી સંસ્થાઓનું અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું. આવી સંસ્થાઓમાં જોઈએ તો સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થા, નડિયાદ સંતરામ મંદિર, નડિયાદ બીએપીએસ સંસ્થા, સામાજિક સંસ્થાની અંદર માતૃછાયા અનાથ આશ્રમ, હિન્દુ અનાથ આશ્રમ, જય માનવસેવા પરિવાર નડિયાદ, વ્યક્તિવિશેષમાં જોઈએ તો પદ્મશ્રી એચ.એમ.દેસાઈ, કુલીનચંદ્ર યાજ્ઞિક, પદ્મશ્રી પૂજ્ય ડાહ્યાભાઈ શાસ્ત્રી,સહિત અન્ય લોકોનુ આ તબક્કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા. સેવાકિય સંસ્થાઓ ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવથી અળગા રહી માનવ ગરીમાને પ્રાથમિકતા આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. આવી સંસ્થા માનવને માનવ સાથે જોડવાનું ઉમદા કાર્ય કરી રહી છે. કોરોના કાળમાં આવી સંસ્થા દ્વારા કરવામાં આવેલ માનવ ગરીમાને જાળવી રાખવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ છે. ભવિષ્યમાં પણ આવીજ રીતે ઉત્તમ પ્રકારના સેવાકાર્યો, ધાર્મિકકાર્યો, સામાજિક ઉત્થાનના કાર્યો કરી તમામ વર્ગના જરૂરીયાત મંદ તેમજ નિઃસહાય લોકોને શૈક્ષણિક, આરોગ્ય, ધાર્મિક તેમજ સામાજિક સેવા આપી ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ ને સાર્થક કરી પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ મંત્રીએ પાઠવી હતી.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર