નડિયાદમાં યોજાનારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આવતીકાલે રાજ્યના 25 જિલ્લામાં નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કરાશે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આવેલા હેલીપેડ મેદાનમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્યના 25 જિલ્લામા નવ નિર્મિત આવાસોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે લોકોને લાવવા માટે નડિયાદ ડિવિજનની 150 મળી 400 એસ.ટી બસોની ફાળવણી કરાઈ છે. 29 મે ના રોજ નડિયાદ ખાતે રાજ્યકક્ષાનો આવાસ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નીગમ દ્વારા નવનિર્મિત પોલીસના રહેણાંક, બિનરહેણાંક આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાંમાં હજારો લોકો ઉમટશે. ત્યારે લોકોને લાવવા લઈ જવા માટે નડિયાદ ડિવિજનની 150 કરતા વધુ અને અન્ય ડિવિજનની મળી 400 કરતા વધુ એસ ટી બસોની ફાળવણી કરવામા આવી છે. આ તબક્કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીયા હાજર રહેશે. રાજ્ય સરકાર ગુજરાતના નાગરીકોની સુખસુવિધામાં ઉત્તરોતર સુધારો કરી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા અને 19 રહેણાંક અને 29 બિન રહેણાંક આવાસોના લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ભાજપ સંગઠનની ટીમ પણ કામે લાગી ગઈ છે. ગામડા જિલ્લાના ગ્રામ્ય વિસતારોમાંથી લોકોને લાવવા બસો ફાળવાઈ છે.
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત