વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઇ, 2022ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે દેશના 16માં રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દેશમાં 18મી જુલાઇએ રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે અને 21 જુલાઇએ મતગણતરી થશે. રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન દરમિયાન કોવિડના તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. ચૂંટણી માટે કોઇપણ રાજકીય પક્ષના વ્હીપને મંજૂરી આપવામાં નહીં આવે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ 76 સાંસદો તેમજ 4120 ધારાસભ્યો મતદાન કરશે. આપને જણાવી દઇએ કે દેશમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સામાન્ય જનતા મત આપી શકતી નથી. તે ઉપરાંત નામાંકિત સભ્યો અને વિધાન પરિષદના સભ્યોને પણ મત આપવાનો અધિકાર નથી. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા મતદાન થાય છે. એટલે કે, રાજ્યસભા, લોકસભા અને વિધાનસભાના સભ્યો મત આપી શકે છે. આ ઉપરાંત તમામ રાજ્યોની વિધાનસભાના સભ્યો પણ મતદાન કરે છે. નોંધનીય છે કે છેલ્લે 17 જુલાઇ, 2017ના રોજ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. તેમાં 20 જુલાઇએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રામનાથ કોવિંદ તેમના હરીફ મીરા કુમારને 3 લાખ 34 હજાર 430 મતોથી મ્હાત આપીને રાષ્ટ્રપતિ બન્યા હતા.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર