વિધાનસભા-68માં રઘુભાઈ હુંબલ, 70માં જવારભાઈ ચાવડા, 71માં બાવજીભાઈ મેતલિયા રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવશે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોરરાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ ભાજપની યોજનાનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અતંર્ગત પ્રદેશ દ્વારા નિશ્ચિત કરેલા અગ્રણીઓ જેમકે રાજયના મંત્રીઓ,ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ તેમજ અન્ય અગ્રણીઓ વગેરે રાજયની તમામ 182 વિધાનસભા મતવિસ્તારોમાં ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસ કરશે જેથી રાજક્યિ ગતિવિધિઓની માહિતી મેળવી શકાય અને સંગઠનાત્મકદ્રષ્ટિકોણથી આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી શકાય. તે અંતર્ગત રાજકોટ મહાનગર ખાતે તા.3 જુન થી તા.પ જૂન ત્રણ દિવસ દરમ્યાન વિધાનસભા-68માં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ, વિધાનસભા-70માં રાજયનાપૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા અને વિધાનસભા-71માં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા સહીતના અગ્રણીઓ દ્વારા ત્રણ દિવસીય રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ થયો હતો. તે અંતર્ગત રાજયના પૂર્વ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા વિધાનસભા-70, વિધાનસભા-68માં ં પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા તેમજ વિધાનસભા-71માં પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા દ્વારા રાજનૈતિક પ્રવાસનો પ્રારંભ થયો હતો. આ તકે સાંસદ રામભાઈમોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, કશ્યપ શુકલ, અશોક લુણાગરીયા, દિવ્યરાજસિહ ગોહિલ, પરેશ હુંબલ, અનીલભાઈ પારેખ, રમેશભાઈ દોમડીયા, અનીલ લીંબડ,રાજુભાઈ મુંઘવા, સંદીપ ડોડીયા, મીનાબેન પારેખ,કીરીટ ગોહેલ, દીપક પનારા, સી.ટી. પટેલ,દિનેશ ચૌહાણ, કાનાભાઈ ઉધરેજા, પરવાશ પીપળીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન ઉધરેજા, રાજુભાઈ બોરીચા, રાજુભાઈ માલધારી, સંજયપીપળીયા, સંજય બોરીચા, હરસુખભાઈ માંકડીયા, ભરત શીંગાળા, ફર્નાન્ડીઝ પાડલીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.
Trending
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા
- શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ફેરફાર કરશે? પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત છે.
- થોડા વધુ દિવસો રાહ જુઓ, સુનિતા વિલિયમ્સ આ દિવસે પૃથ્વી પર આવશે.
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર