ગુજરાતની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તે દરમ્યાન આજે અરવિંદ કેજરીવાલ રાજ્યના પ્રવાસે આવ્યા છે. તેઓ આમ આદમી પાર્ટીનો મહેસાણા ખાતે ત્રિરંગા યાત્રાનો રોડ શો યોજવાના છે. તે માટે તેઓ મહેસાણા માટે રવાના થઈ ગયા છે. આ ત્રિરંગા યાત્રા તોરણવાળી ચોકમાં પૂર્ણ થશે. જ્યા અરવિંદ કેજરીવાલ જનમેદનીને સંબોધશે. જે બાદ તેઓ મહેસાણાના સર્કિટ હાઉસમાં થોડો સમય આગેવાનોને મળીને ચર્ચા-વિચારણા કરશે.ત્રિરંગા યાત્રા પૂર્ણ થયા બાદ અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે અને એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 2 મહિનામાં કેજરીવાલનો આ ચોથો પ્રવાસ હશે.દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની મહેસાણા મુલાકાત પહેલા મહેસાણા આપના જીલ્લા પ્રમુખ ભગત પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે. જેમાં અન્ય ત્રણ લોકો સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. અન્ય એક પક્ષ દ્વારા કેજરીવાલને પ્રશ્ન કરતા હોય તેવા બેનર લગાવવામાં આવ્યા હતા. ત્યારે આ બેનર લગાવવાને લઈને આપના જીલ્લા પ્રમુખ ભગત પટેલે આ ગૃપના બેનર લગાવનારને માર માર્યો હોવાની ફરિયાદ દાખલ થઈ છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો