Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
અન્ય બ્રેકીંગ ન્યૂઝ રાજકારણ રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના રાજકારણ માં આક્ષેપ- પ્રતિઆક્ષેપ નો મારો: શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો

મહારાષ્ટ્રના રાજકારણ માં આક્ષેપ- પ્રતિઆક્ષેપ નો મારો: શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો

Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l

શિવસેના (ઉદ્ધવ બાબા સાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન ધનુષ અને બાણ ખરીદવા માટે રૂા. ૨,૦૦૦ કરોડનો સોદો થયો છે.

Advertisement

જો કે, મહારાષ્ટ્રના મુખ્ય-મંત્રી એકનાથ શિંદે જૂથના વિધાયક સદા સર્વંકરે તે દાવાને ફગાવી દીધો છે, અને પૂછ્યું છે કે શું સંજય રાઉત કેશિયર છે ?

Advertisement

બીજી તરફ રાઉતે ટ્વિટ ઉપર દાવો કરતાં કહ્યું હતું કે ૨,૦૦૦ કરોડ (રૂા.) તો એક પ્રારંભિક આંકડો છે અને તે સોયે સો ટકા સાચો છે. તેમણે પત્રકારોને તે પણ કહ્યું હતું કે સત્તારૂઢ દલની સાથે, નિકટતા ધરાવતા એક બિલ્ડરે આ માહિતી આપી હતી.

રાજ્ય સભાના આ સાંસદે તેમ પણ કહ્યું હતું કે તેમની પાસે, તે આંકડા માટે પૂરતી સાબિતીઓ પણ છે, તે પણ તેઓ ટૂંક સમયમાં રજૂ કરશે.

Advertisement

તે સર્વવિદિત છે કે ચૂંટણી પંચે શુક્રવારે એકનાથ શિંદે જૂથને મૂળ શિવસેના તરીકે માન્યતા આપવા સાથે તેનું ચૂંટણી ચિન્હ ધનુષ-બાણ પણ શિંદે જૂથને આપ્યાં છે.

Advertisement

પોતાના ૭૮ પાનાના આદેશમાં પંચે ઠાકરે જૂથને જ્વલંત મશાલ ચૂંટણી ચિન્હ તરીકે રાખવા સંમતિ પણ આપી હતી.

કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપર વિપરિત વિચારધારાવાળાં લોકોનાં તળીયાં ચાટવાનો આક્ષેપ કર્યો હતો.

Advertisement

તેનો જવાબ આપતાં રાઉતે કહ્યું હતું કે વર્તમાન મુખ્યમંત્રી શું ચાટી રહ્યા છે ? મહારાષ્ટ્ર શાહની વાતોને મહત્ત્વ આપતું જ નથી. વર્તમાન મુખ્યમંત્રીને શિવાજી મહારાજનું નામ લેવાનો અધિકાર નથી.

Advertisement

અમિત શાહે શનિવારે કહ્યું હતું કે જે લોકો વિપરિત વિચારધારાવાળા લોકોનાં પગનાં તળિયાં ચાટી રહ્યા હતા, (તેમને) આજે ચૂંટણી પંચે દર્શાવી દીધું છે કે સત્ય કોના તરફે છે.

અમિત શાહે ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના ફરીવાર કહ્યું હતું કે ૨૦૧૯ની વિધાન સભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદ માટે કોઈ સહમતી થઇ જ ન હતી. પરંતુ તે ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી શિવસેનાએ ભાજપ સાથેનું ગઠબંધન તોડી નાખ્યું.

Advertisement

ચૂંટણી પહેલાં તો તેવી વાત હતી કે મુ.મં.નું પદ ભાગીદારીથી સંભાળવું પરંતુ ઠાકરેએ પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી.) અને કોંગ્રેસનો સાથ લઇ સરકાર રચી હતી. જો કે શિંદેના બળવા પછી ગત વર્ષે જૂનમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પડી ભાંગી હતી.

Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN

Advertisement

Website https://shantishram.com/

YouTube https://youtube.com/channel/UCJiM51UQ

Advertisement

Shantishram News, Gujarat

Advertisement

संबंधित पोस्ट

રાજકોટમાં અજાણ વ્યક્તિએ બચાવ્યો કોવિડ દર્દીનો જીવ.

shantishramteam

નવી અનલૉક ગાઇડલાઇન જાહેર દિલ્હી માં ઓડ-ઈવનના આધારે ખુલશે મોલ અને બજારો

shantishramteam

પેટ્રોલ કાંટો E સુધી પહોચી ગયા બાદ પણ કાર ચલાવો છો?

Shanti Shram

શું ઉદ્ધવ સરકાર પડી જશે? મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણિત આંકડાઓમાં સમજો

Shanti Shram

કોંગ્રેસે રસીકરણ મુદ્દે કહ્યું સોનિયા અને પ્રિયંકા ગાંધીએ લીધી છે કોરોના વેક્સિન

shantishramteam

પાલનપુર નેહરૂ યુવા કેન્દ્રની સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

Shanti Shram