Shantishram
બ્રેકીંગ ન્યૂઝ
રાજકારણ

વડોદરા શહેરના કમાટીબાગની જોય ટ્રેન સહિતની રાઇડનો 4 વર્ષથી ઇજારદારે અકસ્માત વીમા પોલિસી ન ભરતાં બંધ કરવાઇ

શહેરીજનોને કમાટીબાગના દર્શન કરાવતી જોય ટ્રેનના ઇજારદારે 4 વર્ષથી અકસ્માત વીમા પોલિસી ભરી ન હોવાની વિગતો સપાટી પર આવતાં પાલિકા અને ઇજારદારની ગંભીર બેદરકારી છતી થઈ છે. ભૂલ સમજાતાં ભાનમાં આવેલા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ઇજારદારને નોટિસ ફટકારીને જોય ટ્રેન સહિતની બધી રાઈડ્સ બંધ કરાવી હતી. કમાટીબાગમાં 2012માં જોય ટ્રેન શરૂ કરાઈ હતી. જોકે જોય ટ્રેનના ઇજારદારે એમઓયુની શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાના ગંભીર આક્ષેપ થયા છે. જોય ટ્રેનના ઇજારદારે નિયમો મુજબ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાનો હોય છે. જોકે ઇજારદારે 2019થી ઇન્સ્યોરન્સ લીધો ન હોવાનું સપાટી પર આવ્યું છે.આ અંગે જાગૃત નાગરિક અમિત રાજે જણાવ્યું હતું કે, ઇજારદાર ખોડલ કોર્પોરેશને 4 વર્ષથી વીમા પોલિસી લીધી નથી તેમજ ફાયર વિભાગની એનઓસી પણ લીધી નથી. તદુપરાંત પાલિકા સાથે થયેલા કરાર મુજબ શેરિંગની 70 લાખથી વધુની રકમ પણ ઇજારદારે ભરી નથી. જેથી તાત્કાલિક ધોરણે ખોડલ કોર્પોરેશનનો ઇજારો રદ કરી કાર્યવાહી કરવામાં આવે.ગાર્ડન વિભાગે શનિવારે ઇજારદાર ખોડલ કોર્પોરેશનને નોટિસ ફટકારી હતી. જેમાં જોય ટ્રેન, રાઇડ્સ અને રિક્રિયેશનની પ્રવૃત્તિ તાત્કાલિક અસરથી બંધ કરી લાઇસન્સ, વીમા પોલિસી અને બાકી નીકળતી રેવન્યુ શેરિંગ રકમ જમા કરાવવા સૂચના આપી છે.

संबंधित पोस्ट

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Shanti Shram

હવે લોકસભા બાદ રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થઈ ગયું

shantishramteam

દીઓદર ખાતે દીઓદર વિધાનસભા વિસ્તારની કોંગ્રેસની કારોબારી યોજાઈ

Shanti Shram

*પાલનપુરમાં ૨૯૭૦૦ ચોરસ મીટર વિસ્તારમાં ૩૭.૮૨ કરોડ રૂપિયા ના ખર્ચે નવનિર્મિત આઈકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વરદ હસ્તે લકાર્પણ કરવામાં આવ્યું…

Shanti Shram

PM મોદી આજે જર્મની જવા રવાના થશે, પેન્ટાગોન સેક્રેટરી કિર્બીએ કહ્યું- ‘અમારો ઉદ્દેશ્ય બધાને એક કરવાનો છે

Shanti Shram

સંતરામપુર મોટા અંબેલા ગામે કોંગ્રેસના 500 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા , ખેસ પહેરાવી સન્માન કરાયું

Shanti Shram