



વડોદરા સયાજી હોસ્પિટલની બહાર ફૂટપાથ પરરહેતા ભગવાનદાસ રામજી જેઓ બિહારના નિવાસી છે.તેઓને શ્રવણ સેવા ટ્રસ્ટ દ્વારા સહાય કરવામાં આવી છે.છેલ્લા 10 દિવસથી ભગવાનદાસનેજમવાનું ન મળતા તેઓ બેહાલ સ્થિતિમાં ફૂટપાથ પર રહી રહ્યા હતા.ત્યારે શ્રવણ ટ્રસ્ટની ટીમ દ્વારા તેઓને કેન્દ્ર પર લાવી તેઓનું હાઈજીન મેનટેન થાય તે માટે સ્નાન કરાવી,વાળ કાપી નવા કપડા પહેરાવી ભોજન પૂરૂ પાડ્યું હતું.ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બેહાલ ઘર વિહોણા બિહાર મુઝફરપુરના રહેવાશી ભગનાનદાસજીને ટ્રસ્ટ દ્વારા તેઓના વતન તેમના પરિવાર પાસે મોકલી આપવાની પણ બાહેધરી આપવામાં આવી છે.રામદાસજી દ્વારા ઘર વિહોણા નિસહાય લોકોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે,તેઓ દ્વારા ગરીબ અને બેસહારા લોકોની મદદ તેઓનીસમપૂર્ણપણે કાળજી લઈ સ્વાસ્થ્ય સારુ રહે તેવા પ્રયત્નો કરીમદદ કરી સેવા કરે છેે.તેઅને તેમની ટીમ દ્વારા રોડ રસ્તા કે પછી કોઈ પણ જાહેર જગ્યા પર જોવા મળતા બેસહારા લોકોને સહારો આપી તે લોકોની સ્વચ્છતા અંગે કાળજી રાખી તે તમામ લોકોને નવા કપડા,સ્નાન કરવા માટે પાણી અને જમવા માટે ભોજન પુરૂ પાડવામાં આવે છે.