મહારાષ્ટ્ર સરકાર આજે એક મોટો નિર્ણય જાહેર કરી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી શકે છે. કોરોના વાયરસ સંક્રમણના વધી રહેલા કેસને લઈને સરકાર ફરીથી લોકડાઉન લગાવવાનો નિર્ણય લઇ શકે છે. હાલ કેટલાંક જિલ્લાઓમાં નાઈટ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઈમાં કોરોનાઆ 8 હજાર નવા કેસ સામે આવ્યા છે.મહારાષ્ટ્રમાં ગત 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. મહામારી શરૂ થયા બાદ એક દિવસમાં નોંધાયેલા આ સૌથી વધુ કેસ છે.પ્રદેશમાં કુલ કેસની સનાખ્ય 28 લાખ 56 હજારને પર થઇ ગઈ છે. જયારે એપ્રિલમાં 249 લોકોના મોત થયા છે. જે ગત વર્ષે ઓક્ટોબર બાદ થયેલ મૃત્યુનો સૌથી વધુ આંકડો છે. કોરોના વાયરસને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 54898 લોકોએ જીવ ગુમાવ્યા છે.મહારાષ્ટ્રના પુણે શહેર દેશમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે. અને અહીં સ્થિતિ વધુને વધુ વિસ્ફોટક થઇ રહી છે. મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું કે રાયમાં અત્યારસુધીમાં 62,45,860 લોકોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યું છે. એક સત્તાવાર નિવેદન મુજબ બુધવારે 2,16,211 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો