અયોધ્યામાં રામ મંદિરનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગર્ભગૃહ નિર્માણની પ્રથમ શિલા મુકી હતી. આ સિવાય યોગી દ્રવિડ શૈલીથી બનેલા રામલલા સદન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ સામેલ થશે.અયોધ્યાના રામકોટ સ્થિત શ્રી રામ જન્મભૂમિથી થોડા અંતર પર આવેલુ દક્ષિણ ભારતીય શૈલીથી બનેલુ આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કળશ યાત્રા સાથે શરૂ થશે. અયોધ્યાનું આ પ્રથમ મંદિર હશે જ્યા ભગવાન શ્રી રામના કુળ દેવતા ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભગવાન રંગનાથનનું મંદિર હશે.આ મંદિર કોઇ દક્ષિણ ભારતીય શહેરનું નહી પણ અયોધ્યામાં છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલા આ મંદિરમાં ભગવાન રામ લક્ષ્મણ અને સીતાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અહી આવશે પરંતુ ખાસ વાત એ છે કે આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલુ એકમાત્ર એવુ મંદિર છે જે અયોધ્યામાં દક્ષિણ ભારતીય લોકો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા જઇ રહ્યુ છે. આ મંદિરની ડિઝાઇ ચેન્નાઇના જાણીતા આર્કિટેક્ટ સ્વામીનાથને તૈયાર કરી છે. આ મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરાની ઝલક જોવા મળે છે.
Trending
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી
- ભારતને 21 મિલિયન ડોલરની સહાય પર ટ્રમ્પ ફરી ગુસ્સે થયા, ભાજપ અને કોંગ્રેસ પણ ગુસ્સે થયા
- ભવ્ય RSS કાર્યાલય બનાવવા માટે 100 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા? ઇમારતની અદ્ભુત તસવીરો જુઓ
- ભારતીય રેલ્વેની વધુ એક સિદ્ધિ હાંસલ , ૮૨મી વંદે ભારત ટ્રેન તૈયાર થઇ
- કર્મચારીઓ અને શિક્ષકો બીમાર હોય ત્યારે હોસ્પિટલમાં દાખલ થવા માટે પરવાનગી લેવી પડશે, ચોંકાવનારો આદેશ આવ્યો
- મુંબઈના ૧૪,૦૦૦ કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પર તિરાડો? વીડિયો વાયરલ થતા પીએમએ નોંધ લીધી