રાજકોટમાં મંગળવારે નવા 7 કેસ નોંધાયા છે. જેની સામે ત્રણ ગણા એટલે કે 21 દર્દી સાજા થતા તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આથી સારવાર હેઠળ દર્દીની સંખ્યા 62 રહી છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 64004 પર પહોંચી છે. ગઈકાલે શહેરના યુનિવર્સિટી રોડ પર 75 વર્ષીય વૃદ્ધ, યોગેશ્વર પાર્કમાં 25 વર્ષીય યુવાન, સુંદરમ પાર્કમાં 43 વર્ષીય પુરુષ, રેસકોર્સ વિસ્તારમાં 45 વર્ષીય મહિલા, મહાવીર સોસાયટીમાં 42 વર્ષીય પુરુષ, ઇન્દિરા સર્કલ વિસ્તારમાં 41 વર્ષીય પુરુષ અને માધાપરમાં 43 વર્ષીય પુરુષ સંક્રમિત થતા મનપાની આરોગ્ય શાખાએ દર્દીના સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરી હતી. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આમ છતાં પણ છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુ, મેલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મિશ્ર વાતાવરણને કારણે શરદી-ઉધરસના 313, તાવના 68 અને ઝાડા-ઊલટીના 92 કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 18, મેલેરિયાના 9 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો