ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે 18 થી 59 વર્ષ નાગરિકોને જેમને બીજો ડોઝ લઈ લીધો છે તેઓ માટે હવે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. આ બુસ્ટર ડોઝ 15 જુલાઇથી આઝાદીના 75 વર્ષ નિમિત્તે 75 દિવસ સુધી ચાલશે. કુલ 3.50 કરોડની વધુ લાભાર્થી લોકોને આ કોરોના રસીનો ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. આ પાછળ સરકારને 700 કરોડનો ખર્ચ થશે તેની પણ જોગવાઇ કરવામા આવી છે. આજે ભારે વરસાદ અને કોરોનાની વકરતી સ્થિતિમાં ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ભૂપેન્દ્ર સરકાર દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. કેબિનેટ બેઠક મામલે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીનું નિવેદન, કહ્યું- ભારે વરસાદ બાદ ભરાયેલા પાણીની સાફ-સફાઈ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. 156 નગરપાલિકામાં સફાઈ, પાણીના નિકાલ માટે ગ્રાન્ટ ફાળવી હોવાની માહીતી પણ આપી હતી.રાજ્ય સરકારે આજે સવારે જ ગુજરાતમાં ભારે વરસાદને લઈ 156 પાલિકાને 17.10 કરોડની સહાય જાહેર કરી છે. રાજ્યભરમાં ભારે વરસાદ બાદ હવે રાજ્ય સરકારે ખેડૂતલક્ષી એક મોટો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પાક નુકશાનીનો સર્વે કરવા આદેશ કર્યો છે. સરકાર દ્વારા જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે માટે આદેશ કરવામાં આવ્યા છે. જેથી હવે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાનો સર્વે કરવામાં આવશે.
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી