પોરબંદરમાં પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો નો ઘસારો થયો છે . પરંતુ કોવીશિલ્ડ વેકસીનનો જથ્થો ખાલી થઇ જતા અનેક લોકો રસી લીધા વગર પરત ફર્યા હતા . આજે મંગળવારે તેનો જથ્થો આવે તેવી શક્યતા આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે . પોરબંદર માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા .15 જુલાઇથી 75 દિવસ માટે 18 થી 59 વર્ષની વય ધરાવતા નાગરિકોને વિનામૂલ્યે કોરોના વેક્સીન નો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે . પ્રીકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવતો હોવાથી મોટી સંખ્યા માં લોકો વેક્સીન લઇ રહ્યા છે . જીલ્લા માં કુલ 437746 લોકો એ વેક્સીન ના બન્ને ડોઝ લઈ લીધા છે . જેમાંથી અત્યાર સુધીમાં કુલ 53735 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે . જ્યારે છેલ્લા ત્રણ દિવસ માં 18 થી 59 વર્ષની વય ધરાવતા 4850 લોકો એ પ્રિકોશન ડોઝ લીધા છે . જો કે કોવીશિલ્ડ વેકશીનનો જથ્થો ખાલી થયો છે . જેથી તેનો પ્રીકોશન ડોઝ લેવા આવનાર વેક્સીન લીધા વગર પરત ફરી કર્યા હતા . આરોગ્ય વિભાગના વર્તુળો એ આપેલ માહિતી મુજબ આજે સોમવારે 22 સ્થળે વેક્સીન આપવાની કામગીરી કરાઇ હતી . પરંતુ માત્ર માધવપુરના આરોગ્ય કેન્દ્ર માં અને વંદે ગુજરાત રથયાત્રા માં કોવીશિલ્ડ વેકસીનના ૧૦૦-૧૦૦ ડોઝ છે . બાકીના કેન્દ્ર ખાતે કોવી શિલ્ડ નથી . આજે મંગળવારે કોવીશિલ્ડ ની ફાળવણી થાય તેવી શક્યતા છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો