રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 9 લોકો કોરોના મુક્ત થતા હાલ 57 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં હાલ સૌથી વધારે કેસ અમદાવાદમાંથી આવી રહ્યા છે અને શનિવારે ત્યાંથી જ આવેલા એક 45 વર્ષીય યુવાન કે જે મોચીનગરમાં રહે છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં સંભવત: અમદાવાદથી આવેલા હોય તેવા જૂજ કેસ અત્યાર સુધીમાં આવ્યા છે અને આ કેસ કેટલા ચેપી છે અને વેરિયન્ટ અલગ છે કે પછી એ જ રહ્યો છે તેને લઈને આરોગ્ય તંત્રમાં તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં જે પણ કેસ આવ્યા તેમાંથી અમુક કેસના સેમ્પલ વાયરોલોજી સ્ટડી માટે મોકલી વેરિયન્ટ જાણવા પ્રયત્ન કરાયો છે જોકે હજુ સુધી તેમાંથી એકપણના પરિણામ આવ્યા નથી. શહેરમાં હાલ મોચીનગરમાં 45 વર્ષીય પુરુષ, એસ્ટ્રોન સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ, માધાપર ચોકડી પાસે 45 વર્ષીય મહિલા અને 55 વર્ષીય પુરુષ, રૈયા રોડના આલાપ ગ્રીન સિટીમાં 49 વર્ષીય મહિલા, વૈશાલી નગરમાં 63 વર્ષીય વૃદ્ધા અને પૂજારા ટેલિકોમ પાસે રહેતા 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેઓ હોમ આઇસોલેટ થયા છે બીજી તરફ શનિવારે એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા 74 વર્ષીય વૃદ્ધ પોઝિટિવ આવ્યા છે તેઓ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું નોંધાયું છે તેથી તેમના પરિવાર કે સ્નેહીજનોમાંથી ચેપ લાગ્યો છે. આ સિવાય માધાપર ચોકડી પાસેથી બે કેસ મળ્યા છે. રાજકોટ શહેરમાં હજુ પણ કેસની સંખ્યા એક દિવસ વધુ તો એક દિવસ ઓછી એ રીતે આવી રહી છે તેથી ખરેખર ચોથી લહેર છે કે પછી કોઇ ચોક્કસ સ્થળે જ ચેપ વકરે છે તે હજુ પુરવાર થઈ શક્યું નથી.
Trending
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!
- એલોન મસ્ક ઝેલેન્સકીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી, સર્વે પર ગુસ્સે થયા
- પાકિસ્તાને તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી , લોન પર લોનને કારણે તેની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં
- લોકસભા ચૂંટણીમાં અમેરિકાના હસ્તક્ષેપના ટ્રમ્પના દાવાથી ખળભળાટ મચ્યો , ભારત સરકાર હરકતમાં આવી