ભારતીય રિઝર્વ બેંકે કર્ણાટકની એક બેંક વિરુદ્વ મોટી કાર્યવાહી કરી છે. બેંક પાસે પર્યાપ્ત પૈસા ના હોવાથી RBIએ કર્ણાટકના બાગલકોટની મુઘોલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડના લાઇસન્સને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે ખાતાધારકો આ બેંકમાંથી કોઇપણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરી શકશે નહીં. બેંકની આવક પણ લગભગ પૂરી થઇ ગઇ છે. બેંકની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જ RBIએ બેંકનું લાઇસન્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. જે ખાતાધારકોના ખાતામાં પૈસા પડ્યા છે તેઓને 5 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. નોંધનીય છે કે ડીઆઈસીજીસી (ડિપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) હેઠળ ગ્રાહકોના બેંક ખાતામાં જમા પૈસા પર વીમાની સુવિધા આપવાનું કામ કરે છે. આવી કટોકટીની પરિસ્થિતિમાં જેમ કે બેંકનું લાઇસન્સ રદ કરવું અથવા બેંક ડૂબી જવાના કિસ્સામાં વીમા કવચનો લાભ મળે છે. આપને જણાવી દઇએ કે DICGC હેઠળ ગ્રાહકોને વિવિધ પ્રકારની યોજનાઓ પર લાભ મળવા પાત્ર છે. આમાં તમને સેવિંગ્સ એકાઉન્ટ, એફડી સ્કીમ, કરન્ટ એકાઉન્ટ વગેરે જેવી સ્કીમ્સ પર વીમાની સુવિધા મળશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો