બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ ના પ્રમુખ રમેશભાઇ ગાંગુર્ડેના સહયોગ થકી વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સમૂહ લગ્ન મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સમૂહ લગ્નમાં ડાંગ જિલ્લાના જુદા જુદા ગામડાંઓ માંથી કુલ 221 આદિવાસી યુગલો લગ્નના માંડવે એક તાંતણે બંધાયા હતા.વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ પર યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં 221 વરરાજાઓનો વરધોડો હિન્દુ રીતિ રીવાજો અને આદિવાસી વાજિંત્રો સાથે નીકળ્યો હતો. અહી સમૂહ લગ્ન મહોત્સવમાં આદિવાસી 221 યુગલોએ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સાત ફેરા ફરી પતિ પત્નીના પવિત્ર બંધનમાં જોડાયા હતા. આ યુગલોને બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોડ દ્વારા વાસણો સહિત વરવધુને કપડાની ભેટ અર્પણ કરાઇ હતી.વઘઇ બિરસા મુંડા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા સમૂહ લગ્ન મહોત્સવમાં મહોત્સવના આયોજક રમેશ ગાંગુર્ડે સહિત ભાજપ પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજય પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઇ ગાવિત, તાલુકા પ્રમુખ શંકુતલાબેન, વેપારી એસોસિએશનના પ્રમુખ સુભાષ બોરશે, સામાજીક આગેવાન ઘનશ્યામ પટેલ, રીતેશ પટેલ, પંકજ પટેલ સુરેશ કાંજીયા, ધર્મેશ પટેલ, સંદિપ સુરતી, પૃથ્વીરાજ વૈષ્ણવ તથા નગર જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવ પરણીત યુગલોને આશીર્વાદ આપ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રપુરના આદિવાસી સમાજના યુવાનોએ પણ જહેમત ઉઠાવી હતી
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર