પ્રધામંત્રી આવાસ યોજના હેઠળ રાજકોટના ઈસ્ટ ઝોન ખાતે સ્માર્ટ ઘર-5 અને 6ના ઇ.ડબ્લ્યુ.એસ.ના નિર્માણ પામેલા 590 આવાસો તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત રેલનગર વિસ્તારમાં ખાલી રહેલ એલઆઈજી પ્રકારના 137 પૈકી 100 આવાસના ફોર્મ તા.20 જુલાઈથી 22 ઓગસ્ટ સુધી મેળવી શકાશે. રાજકોટ મહાનગર પાલિકાના તમામ સિવિક સેન્ટર આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે 10:30 થી સાંજે 03:00 કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો અને પરત જમા કરવાનો સમય સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધીનો રહેશે.રાજકોટ મહાનગ રપાલિકાની વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઇ ડબ્લ્યુ એસ-1 પ્રકારના આવાસની કિંમત રૂ.3 લાખ અને ફોર્મ સાથે રૂ. 3000 ડીપોઝીટ ભરવાની રહેશે. કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.3.00 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ આવાસમાં અંદાજીત 30 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં એક બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે. મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસની કિંમત રૂ.8.50 લાખ અને ફોર્મ સાથે રૂ. 20,000 ડીપોઝીટ ભરવાની રહેશે કુટુંબની મહત્તમ વાર્ષિક આવક રૂ.1 લાખ થી 2.50 લાખ સુધીની હોઈ, તેવા લોકો ફોર્મ ભરી શકશે.આ યોજનામાં હયાત આવાસ જે હાલતમાં છે તે જ હાલતમાં સ્વીકારવાના રહેશે. આ આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં રહેતા લોકો જ આ આવાસ યોજનાના ફોર્મ ભરી શકશે. આવાસમાં અંદાજીત 45 ચો.મી. કાર્પેટ રહેશે જેમાં બે બેડરૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોયલેટ સાથે સુવિધા આપવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મ શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી 6 શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે. ઓફલાઈન માટે ફોર્મની ફી રૂ.100 રહેશે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરનારને ફી રૂ.50 આપવાની રહેશે.
Trending
- પાકિસ્તાનનું ગ્વાદર એરપોર્ટ ઉજ્જડ, ચીને તેને બનાવવા માટે અબજોનું રોકાણ કર્યું
- લખનૌમા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 7 ફાયર એન્જિન દ્વારા આગ ઓલાવવામાં આવી
- આંગણવાડી ભરતીમાં ભ્રષ્ટાચાર, યોગીના મંત્રીએ પોતે પત્ર લખીને સત્યનો પર્દાફાશ કર્યો
- આ ૫૪ વર્ષમાં પહેલી વાર બન્યું,બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર થતા ભારત પર અસર
- પ્રયાગરાજ મહાકુંભમાં ન્યાયિક તપાસ પંચ પહોંચ્યું, મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડનું સત્ય જાણશે
- તેલંગાણા ટનલ અકસ્માત પર મંત્રીએ ખરાબ સમાચાર આપ્યા, અંદરથી કોઈ અવાજ નથી આવતો
- 32 ધારાસભ્યો AAP છોડવા માંગે છે, કોંગ્રેસના દાવાથી પંજાબમાં હંગામો મચ્યો
- આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પરની ફિલ્મ છે, પાત્ર ભજવવા પર તેણે આ વાત કહી