ગુજરાત પોલીસના જવામર્દ ડીવાયએસપી અરભમભાઇ રાણાભાઇ ગોઢાણિયાનું ગત તા.૧૩ને રુધવારે ચાલુ ફરજ દરમિયાન હૃદયરોગના હૂમલાથી અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્તુળ, પોલીસબેડામાં અને મહેર સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૂળ પોરબંદર પંથકના ગોઢાણિયા પરિવારમાં પિતા રાણાભાઇ અરજનભાઇ અને માતા મોતીબેનના ઓરડે તા.૧-૬-૧૯૬૭ના રોજ જન્મેલા અરભમભાઇએ બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા બાદ ૧૯૯૪માં પોલીસ ખાતામાં જોડાયા હતા. ગાંધીનગર, ભુજ, પોરબંદર ખાતે પી.એસ.આઇ. પરીકે ફરજ બજાવી હતી. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોરબંદરથી પ્રમોશન મેળવી હથિયારધારી પી.આઇ. તરીકે જૂનાગઢ, રાજકોટ અને વડોદરા ખાતે ફરજ બજાવી હતી. ર૦૧રમાં ડીવાયએસપી તરીકે પ્રમોશન મેળવી એસઆરપી જૂથમાં રૂપનગર વાલીયા ખાતે હતા. હાલ છેલ્લે તેઓ એસઆરપી જૂથ, ઘંટેશ્વર-રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા.
લગ્નગ્રંથીથી આશાબેન સાથે જોડાયેલા અરભમભાઇના ત્રણ સંતાનોમાં બે દિકરી પૂનમ (હાલ યુ.કે.), ડો. પ્રિયંકા અને પુત્ર રાજકુમાર છે. ડો. પ્રિયંકાની સગાઇ થોડા સમય પહેલાં જ યુ.કે. રહેતાં સાયન્ટીશ કરન માંડણભાઇ ગોરાણિયા સાથે થઇ છે. માંડણભાઇ ગોરાણિયાનું મહેર સમાજમાં બહુ મોટું નામ છે. હૃદયરોગના હૂમલાથી અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્તુળ, પોલીસબેડામાં અને મહેર સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
Trending
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું
- ફૂલેરા બીજ લગ્ન જીવનમાં ખુશીઓ લાવે છે, જાણો આ દિવસે કયું કામ કરવું જોઈએ