ગુજરાત પોલીસના જવામર્દ ડીવાયએસપી અરભમભાઇ રાણાભાઇ ગોઢાણિયાનું ગત તા.૧૩ને રુધવારે ચાલુ ફરજ દરમિયાન હૃદયરોગના હૂમલાથી અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્તુળ, પોલીસબેડામાં અને મહેર સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૂળ પોરબંદર પંથકના ગોઢાણિયા પરિવારમાં પિતા રાણાભાઇ અરજનભાઇ અને માતા મોતીબેનના ઓરડે તા.૧-૬-૧૯૬૭ના રોજ જન્મેલા અરભમભાઇએ બી.એસ.સી. સુધીનો અભ્યાસ કર્યા બાદ ૧૯૯૪માં પોલીસ ખાતામાં જોડાયા હતા. ગાંધીનગર, ભુજ, પોરબંદર ખાતે પી.એસ.આઇ. પરીકે ફરજ બજાવી હતી. કચ્છમાં આવેલા ભૂકંપ વખતે તેમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોરબંદરથી પ્રમોશન મેળવી હથિયારધારી પી.આઇ. તરીકે જૂનાગઢ, રાજકોટ અને વડોદરા ખાતે ફરજ બજાવી હતી. ર૦૧રમાં ડીવાયએસપી તરીકે પ્રમોશન મેળવી એસઆરપી જૂથમાં રૂપનગર વાલીયા ખાતે હતા. હાલ છેલ્લે તેઓ એસઆરપી જૂથ, ઘંટેશ્વર-રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા.
લગ્નગ્રંથીથી આશાબેન સાથે જોડાયેલા અરભમભાઇના ત્રણ સંતાનોમાં બે દિકરી પૂનમ (હાલ યુ.કે.), ડો. પ્રિયંકા અને પુત્ર રાજકુમાર છે. ડો. પ્રિયંકાની સગાઇ થોડા સમય પહેલાં જ યુ.કે. રહેતાં સાયન્ટીશ કરન માંડણભાઇ ગોરાણિયા સાથે થઇ છે. માંડણભાઇ ગોરાણિયાનું મહેર સમાજમાં બહુ મોટું નામ છે. હૃદયરોગના હૂમલાથી અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્તુળ, પોલીસબેડામાં અને મહેર સમાજમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો