પોરબંદર શહેરમાં આમ તો વર્ષોથી રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ ચોમાસાના સમયમાં પોરબંદર શહેરમાં રેઢિયાળ પશુઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે હાલ ચોમાસાના સમયમાં વાડી ખેતરોમાં મગફળી સહિતના પાકુનં વાવેતર થયું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના પશુઓ શહેર તરફ પ્રયાણ કરે છે. જેના કારણે હાલ પોરબંદર શહેરના મુખ્ય એમ.જી. રોડ સહિતના વિસ્તારોમાં આ મુંગા અબોલ પશુઓ પડાવ નાખીને બેઠા નજરે પડે છે. ક્યાંક સ્વાર્થ પણ કારણભૂત છે કારણ કે કેટલાક પશુમાલકી પોતાના પશુઓને પોતાનો સ્વાર્થ પુરો થયા બાદ રેઢા મુકી દે છે. અન્ય પશુઓ પણ શહેરમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને આખલાઓનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અવાર નવાર રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટ લઇ અને ઇજા પહોંચાડે છે અને આખલા યુદ્ધના દ્રશ્યો શહેરમાં સામાન્ય બની ગયા છે. પોરબંદર-છાંયા નગરપાલિકાના તંત્રને જ્યારે સુરાતન ચડે છે ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ કામગીરીમાં પણ ક્યાંક જીવદયા પ્રેમીઓનો બડાપો અવરોધરૂપ બનતો હોવાનું કહેવાય છે. જીવદયા પ્રેમીઓની લાગણી પણ ક્યાંક સાચી હોય તેવું લાગી રહ્યું છે. અંતે જવાબદારી તો પાલિકાની છે અને આ પશુઓને આશરો મળી રહે તે માટે ઓડદર ગૌશાળા ખાતે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પશુઓને આશરો આપવો પણ કઠીન બન્યો છે. ક્યાંક કેટલાક પશુપાલકોની બેદરકારી તો ક્યાંક નગરપાલિકાની ઉદાશીનતાને કારણે આ રેઢિયાળ પશુઓને આશરો કોણ આપશે તે પણ એક પેચીદો સવાલ છે. અંતે તો સહન શહેરીજનોને જ કરવાનું છે. રેઢિયાળ પશુઓના કારણે કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવી દીધા છે તો કેટલાક લોકોન ઇજાગ્રસ્ત પણ બન્યા છે. એક તરફ લમ્પિ વાયરસના કારણે ગૌધન મોતને ભેટી રહ્યું છે તો બીજી તરફ તેમના આશરાને લઇને પણ મુશ્કેલી ઉભી થય છે. આનુ નિરાકરણ કોણ અને ક્યારે લાવશે તેવા સવાલો શહેરીજનોના મનમાં ઉઠી રહ્યાં છે.
Trending
- આ પાંચ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે , દૈનિક રાશિફળ વાંચો
- આલિયાની વેણી અને કરીનાનો કુર્તા હેડલાઇન્સમાં, મહેંદી ફંક્શનમાં જોવા મળી અદ્ભુત ફેશન
- મહાશિવરાત્રી પર ભગવાન શિવના જલાભિષેક માટે આ બ્રહ્મ મુહૂર્ત, જાણો ચારેય પ્રહરમાં પૂજાનો સમય
- લોકો એક્ટિવા, જ્યુપિટર, એક્સેસ વિશે વાતો કરતા રહ્યા, આ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ચૂપચાપ ટોપ-10માં સામેલ થયા
- અમેરિકામાં વિમાનો વારંવાર કેમ અથડાય? હવામાં ટ્રાફિક કેવી રીતે નિયંત્રિત થાય
- હોળી પછી શુક્ર ગ્રહ ઉથલપાથલ મચાવશે, આ રાશિના જાતકોના જીવનમાં સારો બદલાવ જોવા મળશે
- 30 હજારથી ઓછી કિંમતમાં મળશે આ શક્તિશાળી લેપટોપ, ટોચની બ્રાન્ડ્સ આપે છે શાનદાર ઑફર્સ
- આ 5 શાક બનાવતી વખતે જરૂર અજમા નાખો , પેટમાં ગેસ નહીં થાય અને સ્વાદ પણ બમણો થશે!