પોરબંદર શહેરમાં આમ તો વર્ષોથી રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. પરંતુ હાલ ચોમાસાના સમયમાં પોરબંદર શહેરમાં રેઢિયાળ પશુઓની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે હાલ ચોમાસાના સમયમાં વાડી ખેતરોમાં મગફળી સહિતના પાકુનં વાવેતર થયું છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના પશુઓ શહેર તરફ પ્રયાણ કરે છે. જેના કારણે હાલ પોરબંદર શહેરના મુખ્ય એમ.જી. રોડ સહિતના વિસ્તારોમાં આ મુંગા અબોલ પશુઓ પડાવ નાખીને બેઠા નજરે પડે છે. ક્યાંક સ્વાર્થ પણ કારણભૂત છે કારણ કે કેટલાક પશુમાલકી પોતાના પશુઓને પોતાનો સ્વાર્થ પુરો થયા બાદ રેઢા મુકી દે છે. અન્ય પશુઓ પણ શહેરમાં જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને આખલાઓનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અવાર નવાર રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટ લઇ અને ઇજા પહોંચાડે છે અને આખલા યુદ્ધના દ્રશ્યો શહેરમાં સામાન્ય બની ગયા છે. પોરબંદર-છાંયા નગરપાલિકાના તંત્રને જ્યારે સુરાતન ચડે છે ત્યારે આખલા પકડવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ કામગીરીમાં પણ ક્યાંક જીવદયા પ્રેમીઓનો બડાપો અવરોધરૂપ બનતો હોવાનું કહેવાય છે. જીવદયા પ્રેમીઓની લાગણી પણ ક્યાંક સાચી હોય તેવું લાગી રહ્યું છે. અંતે જવાબદારી તો પાલિકાની છે અને આ પશુઓને આશરો મળી રહે તે માટે ઓડદર ગૌશાળા ખાતે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ પશુઓને આશરો આપવો પણ કઠીન બન્યો છે. ક્યાંક કેટલાક પશુપાલકોની બેદરકારી તો ક્યાંક નગરપાલિકાની ઉદાશીનતાને કારણે આ રેઢિયાળ પશુઓને આશરો કોણ આપશે તે પણ એક પેચીદો સવાલ છે. અંતે તો સહન શહેરીજનોને જ કરવાનું છે. રેઢિયાળ પશુઓના કારણે કેટલાક લોકોએ પોતાના સ્વજન ગુમાવી દીધા છે તો કેટલાક લોકોન ઇજાગ્રસ્ત પણ બન્યા છે. એક તરફ લમ્પિ વાયરસના કારણે ગૌધન મોતને ભેટી રહ્યું છે તો બીજી તરફ તેમના આશરાને લઇને પણ મુશ્કેલી ઉભી થય છે. આનુ નિરાકરણ કોણ અને ક્યારે લાવશે તેવા સવાલો શહેરીજનોના મનમાં ઉઠી રહ્યાં છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો