56130 મે.ટન કોલસા લઇને આવેલું કાર્ગો શિપ ગ્રાઉન્ડ થતા મચી દોડધામ : ટગની મદદ માંગી ભાવનગર બંદર (એન્કરેજ) ખાતે 56130 મે.ટન કોલસો લઇને આવેલું જહાજ ખંભાતના અખાતના અસમાન્ય દરિયાઇ કરન્ટને કારણે ઢસડાઇને ગ્રાઉન્ડ થઇ જતા દોડધામ મચી હતી. એમ.વી. રોયલ પ્રાઇડ જહાજ 56130 મે.ટન કોલસો લઇને ભાવનગર એન્કરેજ ખાતે શુક્રવારે સવારે 7.40 કલાકે આવી પહોંચ્યુ હતુ. ખંભાતના અખાતમાં અસમાન દરિયાઇ કરન્ટને કારણે જહાજનું એન્કર ઢસડાવા લાગતા જહાજ આગળ ભાગવા લાગ્યુ હતુ અને એક સમયે ગ્રાઉન્ડ થઇ ગયુ હતુ. જહાજ ઢસડાવાની જાણ ખંભાત રડાર સ્ટેશન વીટીએસને થતા જવાબદાર અધિકારીએ જહાજના કેપ્ટનને સ્થિતિથી વાકેફ કરવાના પ્રયત્ન કરવામાં આવતા પ્રયાસો અનુત્તર રહ્યા હતા અને જહાજનું મેઇન એન્જીન ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યુ તેને પણ અનુસરવામાં આવ્યુ ન હતુ. જીએમબીના અધિકારીઓના ખંભાતના અખાતના જ્ઞાન અને અનુભવના આધારે ઢસડાઇ રહેલા જહાજને પુન: તરતુ કરાવવામાં સફળતા હાથ લાગી હતી અને તમામ સરકારી વિભાગોના શ્વાસ હેઠા બેઠા હતા. . . . . . . . . . . . .
Trending
- કાશ પટેલ કોણ છે? FBI ડિરેક્ટરે ગીતા પર હાથ રાખીને શપથ લીધા
- યુપી બોર્ડે પ્રયાગરાજમાં 10મા-12મા ધોરણની પરીક્ષા મુલતવી રાખી, હવે આવતા મહિને પરીક્ષા યોજાશે
- કચ્છમાં ભયાનક અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 7 લોકોના મોત અનેક ઘાયલ
- અદાણી કંપનીએ આ સૌર પ્રોજેક્ટ શરૂ કર્યો, શું સુસ્ત સ્ટોકમાં ચમક પાછી લાવશે ?
- આ 5 વસ્તુઓ ક્યારેય ખિસ્સામાં ન રાખો, એવું માનવામાં આવે છે કે આ વસ્તુ રાખવાથી દુર્ભાગ્ય લાવે છે.
- શું લીંબુ વજન ઘટાડવાનો એક અચૂક ઈલાજ છે? લીંબુ પાણી પીતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ
- આજનું પંચાંગ 22 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ પાંચ રાશિના લોકોને દરેક કાર્યમાં સફળતા મળશે , દૈનિક રાશિફળ વાંચો