સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે આઝાદી કા અમુત મહોત્સવ કાર્યક્રમ યોજાયો સાંતલપુર તાલુકાના કોટડા ગામ ખાતે સરકારશ્રીના આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત “ વંદે ગુજરાત વિકાસ યાત્રા ” તા . ૧૦/૦૭/૨૦૨૨ ને રવિવારના રોજ કોરડા મુકામે આયોજીત કાર્યક્રમાં પશુદવાખાના વારાહી દ્વારા ડૉ . આર . જી . ચૌધરી , પશુચિકિત્સા અધિકારીશ્રી વારાહી તથા ડૉ . એમ . પી . ચૌધરી , પશુચિકિત્સા અધિકારીશ્રી સાંતલપુરની અધ્યક્ષતામા પશુઆરોગ્ય સારવાર મેળા , ઊંટ વર્ગના પશુઓમા એન્ટીસરા રસીકરણ , ઘેટા – બકરામાં ડિવોર્મીંગ તેમજ ડાલડી ગામે ગાય અને ભેસ વર્ગના પશુઓમા ગળસુંઢાના રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામા આવી . ઉપરોક્ત કામગીરીમાં ઝઝામ , કોરડા , બામરોલી અને અબીયાણા ગામના પશુધન નિરીક્ષકો તેમજ ગઢા , કોરડા , ઝેકડા ગામના બીજદાન કર્મચારીના સહયોગથી કાર્યક્રમ સફળ થયેલ છે ઉપરોક્ત કાર્યક્રમમાં કોરડા અને આસપાસના ગામોના પશુપાલકો બહોળી સંખ્યામાં પોતાના પશુઓ સાથે હાજર રહી મેડિસીન સારવાર , જાતિય આરોગ્ય સારવાર , શસ્ત્રક્રિયા સારવાર તેમજ ઘેટા – બકરામાં ડિવોર્મીંગ અને ઊંટ વર્ગના પશુઓમા ખસ તેમજ ઝેરબાઝ રોગનિરોધક સારવાર આપવામાં આવી સાંતલપુર તાલુકાના પશુપાલકોમાં ચોમાસાની શરુઆતમાં પોતાના અમુલ્ય પશુધનમાં યોગ્ય સારવાર મળતા હર્ષોલ્લાસની લાગણી જોવા મળેલ
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો