સમર ઈન્ડકશન વર્કશોપ ગીર સોમનાથ જિલ્લાની આઠ કોલેજો દ્વારા સમર ઈન્ડકશન વર્કશોપનું આયોજન વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી ગીર સોમનાથ જિલ્લામાં ઉચ્ચ શિક્ષણ માર્ગદર્શન નીચે સમર ઈન્ડક્શન કેમ્પ હેઠળ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જિલ્લાની આઠ કોલેજોએ ભાગ લીધો હતો . આ વર્કશોપમાં વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું . જિલ્લાની તાલાલા ગીરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગીર સોમનાથ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે આ વર્કશોપનું આયોજન કરાયું હતું . જેમાં 40 વિદ્યાર્થીઓ અને 8 સંયોજક પ્રોફેસરોએ ભાગ લીધો હતો . આ તકે મનુસિંહ પરમાર , કમલેશ પામક તેમજ ગુજકોસ્ટના ટીમના ટ્રેનર્સે પણ હાજર રહી તમામ વિદ્યાર્થીઓને કીટ અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી . આ સાથે લોક વિજ્ઞાન કેન્દ્ર નરેશભાઈ અને વિજય કોટડીયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સોમનાથ ગુરુકુળના સ્વામીજી ભક્તિ પ્રસાદ દ્વારા ઉપયોગી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું . જ્યારે પાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ તેમના ઇનોવેશન પરના વિચારો વ્યક્ત કર્યા હતા . જ્યારે ગીર સોમનાથના સમાજસુધારક ચંદ્રપ્રકાશ ભટ્ટ અને કોળી સમાજના પ્રમુખે ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું . આ વર્કશોપમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશ્નર એન નાગરાજન , ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત કમિશ્નર મધુસર તેમજ એસ એસ એસએસઆઈપીની સમગ્ર ટીમ , જીએસીસી તાલાલા ગીરના પ્રો ડેનિશ લાડાણી , આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર એન આર દેસાઈ કો – ઓર્ડીનેટર પ્રોફેસર ધર્મેશ પી વાવૈયા વગેરે હાજર રહ્યા હતા
Trending
- જો તમે તમારા બાળકનું ટિફિન 5 મિનિટમાં બનાવવા માંગતા હોય તો આ રેસીપી નોંધી લો.
- ફ્રેન્ચ કંપનીએ મુંબઈ ઓથોરિટી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા
- દિલ્હી જતી પેસેન્જર ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો, ત્યારબાદ મુસાફરોમાં ભયનો માહોલ
- ગુજરાતના આ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ , બુલેટ ટ્રેન એક્સપ્રેસ વે પરથી પસાર થશે
- ભારતના આ શહેરો છે ‘ડરામણા’ , જાણો શા માટે ઝીરોધાના CEO નીતિન કામથે કહ્યું આવું?
- 1 માર્ચ સુધી ચાલશે દિલ્હી વિધાનસભાનું સત્ર , શા માટે AAPના 21 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા?
- પૂર્વ કેન્દ્રીય મંત્રી સજ્જન કુમારને આજીવન કેદની સજા , 1984ના શીખ રમખાણોના કેસમાં સજા
- ગોલ્ડન બેટ જીતવાની રેસમાં 3 ખેલાડીઓ, જાણો યાદીમાં કયા ભારતીયનું નામ છે?