વરસાદ ખેંચાતા પશુઓ માટેનો લીલો ઘાસચારો થયો મોંઘો વલભીપુર પંથકમાં માત્ર 10 મી.મી.વરસાદથી ખેડૂતોમાં નિરાશા હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો : પશુધનની માવજત કરવી મોંઘી થઇ વલભીપુર પંથકમાં પશુઓ માટેનો લીલા ઘાસચારાના ભાવમાં દૈનિક રીતે ભાવ વધતા હોય જેને લઇ માલઘારીઓની હાલત કફોડી બનતી જાય છે. વલભીપુર પંથકમાં ત્રણ દિવસ પહેલા 10 મી.મી.વરસાદ પડેલ હતો અને વરસાદના આગમન સાથે ખેતી માટે ખેડુતોમાં અને પશુઓ માટે માલધારીઓમાં હરખની હેલી ઉભી થઇ હતી. પરંતુ વલભીપુર પંથકમાં પિયત થતી ખેતીનું પ્રમાણ ખબુ ઓછુ છે. તેને લઇ ઉનાળા દરમ્યાન પશુઓ માટેનો લીલો ઘાસચારાનું વાવેતર પણ પશુઓની સંખ્યા કરતા ઓછા પ્રમાણમાં થાય છે. તેને લીધે લીલાઘાસના ભાવ પ્રતિ વર્ષ રૂ.5 થી 10 નો વઘારો જોવા મળે છે. જો વરસાદ સમયસર ન થાય તો પંથકમાં આ ઘાસચારો મળતો નથી અને ઘાસ વેચતા વેપારીઓ દ્વાર આસપાસના તાલુકાઓમાંથી આઇસર ટેમ્પા દ્વારા છુટક અથવા તો જથ્થા બંધ પ્રતિ 20 કિલો મુજબ રૂ.70 થી 80 ના ભાવ પ્રમાણે માલધારીઓને વહેચે છે. ના ભાવ પ્રમાણે માલધારીઓને વહેચે છે. ઉનાળાના આરંભમાં લીલા સાસટીયાનો ભાવ 20 કિલોના રૂ.65 હતો જે ઉનાળાના મધ્યાંતરે રૂ.70 થયો હતો. અને હાલમાં વરસાદ ખેંચાતા 20 કિલોના રૂ.80 એ પહોંચ્યો છે. જેમાં જે તે સ્થળે થી માલધારીનાં નેસ સુધી પહોંચતો કરવા માટે વાહનભાડુ અલગથી ચુકવવું પડે છે. આવી પરિસ્થિતી વચ્ચે માલધારીઓને પશુધન સાચવું મુશ્કેલ ભર્યું બન્યુ છે. ત્રણ વર્ષમાં ભાવ વધતા ગયા ઉનાળા દરમ્યાન પશુઆને લીલુઘાસનું નિરણ કરવું જરૂરી છે પણ છેલ્લાં ત્રણ ચાર વર્ષથી લીલાઘાસનો ભાવ વધતો જાય છે. ત્રણ વર્ષ પહેલા વીસ કીલોનો ભાવ રૂ.55 થી 60 હતો. પછીના વર્ષે ભાવ રૂ.60 થી 65 થયો અને ચાલુ વર્ષે વીસ કીલોનો ભાવ રૂ.70 થી શરૂ થયો જે હાલમાં રૂ.80 સુધી પહોંચી ગયો છે.એક ગાયને રોજનું 10-15 કિલો અને ભેંસને 1520 કિલો પ્રમાણે ઘાસની જરૂરીયાત રહે છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર