વડોદરા જિલ્લાના ડભોઇ, પાદરા, શિનોર, કરજણ, વાઘોડિયાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. મનરેગા વિભાગના કર્મચારીઓના મતે વર્ષ ૨૦૦૮માં તેઓની ભરતી થઈ તે સમયે દર વર્ષે ૧૫ ટકા સુધીનો પગાર વધારો કરવાનો ઠરાવ કરાયો હતો . હાલમાં માત્ર રૂપિયા ૮ હજારથી લઈને રૂપિયા ૧૫ હજાર સુધીનો પગાર મેળવતા કરાર આધારીત કર્મચારીઓના પગારમાં છેલ્લાં ૭ વર્ષમાં એક જ વખત વર્ષ ૨૦૧૭ માં ૧૦ ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારીના સમયમાં પગાર વધારો નહી કરાતા નજીવા પગારે નોકરી કરતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. સમાન કામ, સમાન વેતનનું સૂત્ર પણ ફારસ રૂપ બની રહ્યું છે. ત્યારે આટલી કાળઝાડ મોંઘાવારીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે પોતાની ફરજ ઉપરાંત કચેરીના આદેશ મુજબ સરકારશ્રીના વખતો વખતના કાર્યક્રમો સહીત તમામ કામગીરીમાં નિષ્ટાપૂર્વક ફરજ બજાવે છે. ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી લાભો પોંહચાળવા તેમજ ગ્રામ્ય કક્ષાએ રોજગારી પુરી પાડવાની મહત્વની કામગીરી કરનાર મનરેગાના કર્મચારીઓ પોતાની રોજગારી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન દ્વારા છેલ્લા કેટલાય સમયથી કર્મચારીના હકો અને પડતર પ્રશ્નો માટે ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ મુખ્ય મંત્રીને પત્ર લખી સરકારમાં રજુઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓને સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ના વેતન અને અન્ય મળતા તમામ લાભો આપવામાં આવે છે. જેની સામે ગુજરાત સરકારશ્રીના વહીવટ હેઠળ ચાલતી મનરેગા યોજનાના કર્મચારીઓને તમામ મળવા પાત્ર લાભોથી આજદિન સુધી વંચિત રાખવામાં આવ્યા છે. જેના પગલે વડોદરાના સુખલીપુરા ગામે આજે જિલ્લાના તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાં ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખે હાજરી આપી હતી અને કર્મચારીની વેદના, પડતર પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં તેઓએ રાજ્યભરના તમામ કર્મચારીઓને સંગઠિત થઇ ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવાની સમજ આપી હતી.
Trending
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા
- અમદાવાદમાં સ્ટીલ ઉદ્યોગપતિ સાથે થઇ રૂ. ૧.૯૨ કરોડની છેતરપિંડી ,નકલી મહિલા મિત્રએ કરી છેતરપિંડી
- 28 ફેબ્રુઆરીએ Balaji Phosphatesનો IPO ખુલશે, શું રોકાણકારોની અપેક્ષાઓ પૂરી કરી શકશે?
- હથેળી પરની આ રેખાથી જાણો તમારા સ્વાસ્થ્યની સ્થિતિ, જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર
- શું અર્જુનની છાલ હૃદયના અવરોધને મટાડે છે? તેના ફાયદા અને ગેરફાયદા જાણો
- આજનું પંચાંગ 23 ફેબ્રુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ અને થશે આર્થિક લાભ , વાંચો તમારું દૈનિક રાશિફળ.
- આ એક હેર સ્ટાઇલ તમારા આખા ચહેરાને બદલી નાખશે, જાણો ફ્રન્ટ પાર્ટીશન કેવી રીતે કરવું