રાજકોટ એરપોર્ટ પર એક સાથે 2 નહિ 6 ફ્લાઈટ પાર્ક થઇ શકે તેવી વ્યવસ્થા શરુ થતાની સાથે જ હવે નવી ફ્લાઈટ પણ શરુ થઇ રહી છે. રાજકોટથી દિલ્હી માટેની પાંચમી ફ્લાઈટ આગામી 30 જુલાઈથી ઉડાન ભરશે. જો કે આ ફ્લાઇટ દૈનિક નહિ પરંતુ અઠવાડિયામાં ત્રણ દિવસ જ ઉડાન ભરશે. રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહના જણાવ્યા મુજબ આગામી 30 જુલાઈથી રાજકોટથી દિલ્હીની પાંચમી ફ્લાઈટ ઉડાન ભરવાની છે. અત્યારે રાજકોટથી દિલ્લી જવા માટે સવાર બપોર અને સાંજ મળી કુલ 4 ફ્લાઇટ કાર્યરત છે જયારે હવે નવી શરૂ થનાર પાંચમી ફ્લાઈટ ઈન્ડીગોની દિલ્હી માટેની રાજકોટ એરપોર્ટ પર દરરોજ સાંજે 6.25 વાગ્યે પહોચશે અને 6.55 વાગ્યે રાજકોટથી ટેકઓફ થશે. આ ફ્લાઈટ મંગળવાર, ગુરુવાર અને શનિવાર એમ ત્રણ દિવસ જ ઉડાન ભરશે. હાલ રાજકોટથી દિલ્હી માટે ચાર ફ્લાઇટ ઉડાન ભરી રહી છે જેમાં સ્પાઈસ જેટની દૈનિક ફ્લાઈટ સવારે અને સાંજે 08.05 વાગ્યે, ઈન્ડીગોની સવારે 9.45 વાગ્યે અને એર ઇન્ડિયાની બપોરે 3.20 વાગ્યે ઉડાન ભરી રહી છે. અને હવે આગામી 30 જુલાઈથી પાંચમી ફ્લાઇટ શરૂ થનાર છે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો