જામકંડોરણા ખાતે ગો.વા. કલ્પેશકુમાર વિઠલભાઈ રાદડિયાગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનવયજ્ઞની ભક્તિમય વાતાવરણમાં પૂર્ણાહૂતિ થઈ હતી. સાત દિવસ દરમિયાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો દરમ્યાન દાતાઓ વરસ્યા હતા અને ગૌશાળામાટે રૂા. 1.60 કરોડનું દાન એકત્ર થતા સંસ્થાના પ્રમુખ જયેશભાઈ રાદડિયાએ સૌનો હદયપૂર્વક આભાર માન્યો હતો. અંતિમ દિવસે ભારતીબાપુ, પરાગબાવા, માધાતાસિંહની હાજરી : સૌનો આભાર માનતા પાંજરાપોળના પ્રમુખ જયેશ રાદડિયા ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતિના દિવસે રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમ-જુનાગઢના મહંતશ્રીઈન્દ્રભારતી બાપુ વૈષ્ણવાચાર્ય પૂ. પરાગબાવા શ્રી તેમજ રાજકોટમાં રાજવી શ્રી માધાતાસિંહજી જાડેજા ઉપસ્થિત રહેતા જયેશભાઈ રાદડિયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાતદિવસ સતત ખડેપગે રહીસેવા આપનાર સેવાભાવિ કાર્યકરો-બહેનો-શ્રોતાઓને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા. શાસ્ત્રીજીનુ, તેમજ ખોડલધામ સમિતિ તેમજ ખોડલધામ મહિલાસમિતિ ખોડલધામ યુવા સમિતિ તેમજ અન્ય જુદી-જુદી સમિતિના સ્વયંસેવકોને ખેસ પહેરાવી તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા સંસ્થાના પ્રમુખ જયેશભાઇ રાદડીયા તેમજ ગોવિંદભાઈ રાણપરીયા મનસુખ ભાઈસાવલિયા ડીકે સખિયા ચંદુભાઇ ચૌહાણ કરણસિંહ જાડેજા વિઠ્ઠલભાઈ બોદર વગેરે ટ્રસ્ટીઓએ આસપાસના ગામોમાંથી સેવા આપવા આવેલ દરેક સ્વયંસેવકોનો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો