5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક હજાર વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે માનવીને જીવવા માટે ઓક્સિજન પ્રાણવાયુની જરૂર છે અને તે પ્રાણવાયુ વૃક્ષો પૂરા પાડે છે ત્યારે આ વૃક્ષો એ પૃથ્વી પરના દેવ સમાન અને આપણે મહામૂલા સંપદા હોય તેના રક્ષણ માટે લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે ત્યારે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે મહાનગરપાલિકા અને જોષીપુરા ની વિવિધ સોસાયટીઓના રહીશોના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે મારું જુનાગઢ ગ્રીન જુનાગઢ સુત્રને સાર્થક કરવા જૂનાગઢ ના રસ્તાના ડિવાઇડર પર ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર કરાશે આ સાથે પાંચ જુન રવિવારે સવારના દસ વાગ્યે શોભેશ્વર મહાદેવ મંદિર પાસે ખલીલપુર રોડ નું નામ સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ કરવામાં આવશે આ તકે મેયર ગીતાબેન પરમાર તેમજ મનપાના અધિકારી પદાધિકારીઓ તેમજ સ્થાનિક રહીશોની ઉપસ્થિતિ રહેશે ત્યારે લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બાગ બગીચા સમિતિના ચેરમેન પ્રફુલાબેન ખેરાળા અને ગાર્ડન સુપરવાઇઝર રાજેશ પરમાર એ અપીલ કરી છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર