મહેસાણાના આ મંદિરે લોકો વિઝા મેળવવાની રાખે છે માનતા, ગામનો ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાંગામના 3000થી વધુ લોકો કરે છે અમેરિકામાં વસવાટ રાજ્ય બહારના પણ લોકો વિઝાની માનતા માનવા આવે છેદેશમાં અનેક એવા મંદિરો આવેલા છે, જે પોતાની આગવી ઓળખ અને વિશેષતા ધરાવતા હોય છે. એવુ જ એક મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. કડી તાલુકાના ઝુલાસણ ગામમાં આવેલા દાંલા માતાજીના મંદિરને લઇને શ્રદ્ધાળુંઓમાં અનેરી આસ્થા છે. એવું કહેવામાં આવે છે કે, અહીં વિઝા લેવા અંગેની માનતા રાખવામાં આવે તો તે ફળે છે. આ આસ્થાના કારણેજ ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, હરિયાણા સહિતના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવે છે અને વિઝાની માનતા રાખે છે.ગામમાં ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં મહેસાણાથી 40 કિલોમીટર દૂર આવેલું ઝુલાસણ ગામ 7 હજારની વસ્તી ધરાવે છે. જેમાં ઘર દીઠ એક વ્યક્તિ વિદેશમાં વસવાટ કરે છે. આ દાંલા માતાજીના મંદિરે દુર દુરથી લોકો વિઝા મેળવવાની માનતા રાખવા અને પૂરી કરવા આવે છે. આ ઉપરાંત આ મંદિર કોમી એખલાસનું પરફેક્ટ પ્રતિક છે. અહિંયા હિંદુ મંદિરમાં મુસ્લિમ દેવીની પૂજા થાય છે. ગામમાં એક પણ મુસ્લિમ પરિવારનું ઘર નથી, પરંતુ આ ગામમાં મુસ્લિમ દેવીની સ્થાપના વર્ષો પહેલા થઈ હોવાની લોક વાયકા છે. મંદિરમાં રહેલું પથ્થરનું યંત્ર 800 વર્ષથી દેવી તરીકે પૂજાય છે અને આ મંદિર હિન્દૂ મુસ્લિમના અસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરમાં આવતા હિન્દૂ અને મુસ્લિમ સમુદાયના લોકોની માનતા પૂર્ણ થાય છે. માનતા પૂર્ણ થયા બાદ હિન્દુઓ માતાજીને સુખડી અને શ્રીફળ ચડાવે છે, જ્યારે મુસ્લિમ સમાજના લોકો ચાદર ચડાવે છે.સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ ઝુલાસણ ગામ અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સનું પૈતૃક ગામ છે, સુનિતા વિલિયમ્સ ઘણી વાર આ ગામમાં મંદિરના દર્શન કરવા આવી ચૂકી છે. સુનીતા વિલિયમ્સ જ્યારે પોતાની અંતરિક્ષયાન યાત્રા પર હતી, એ દરમિયાન યાનમાં ખામી સર્જાઈ હતી. એ દરમિયાન ઝુલાસણના લોકોએ ભેગા મળીને આ મંદિરે સુનિતા વિલિયમ્સ માટે અખંડ જ્યોત અને ધૂન બોલાવી હતી. ત્યારબાદ સુનિતા વિલિયમ્સ સફળતા પૂર્વક પોતાના યાન સહિત ધરતી પર આવી હતી અને ત્યારબાદ ઝુલાસણ ખાતે દાંલા માતાના દર્શન કરવા પહોંચી હતીમંદિરનો ઇતિહાસ 800 વર્ષ અગાઉ ઝુલાસણ ગામમાં હાલ જ્યાં મંદિર છે, એ સ્થળ એક માટીનું યંત્ર નીકળ્યું હતું. ત્યારબાદ ગામ લોકો આ યંત્રને દેવી તરીકે પૂજા કરતા આવ્યા છે. જેમ જેમ લોકો માનતા માનવા લાગ્યા અને તેમના કામ પુરા થતા ગયા અને લોકોમાં વધુ આસ્થા જાગી. આ મંદિરમાં લોક વાયકા મુજબ મુસ્લિમ દેવી પૂજાય છે અને મંદિરમાં હિન્દૂ અને મુસ્લિમ સમુદાયના લોકો દર્શન અને માનતા માનવા આવે છે.લોક વાયકા મુજબ પહેલાના જમાનામાં ગામમાં લૂંટારૂઓ આવતા હતા અને ગામને લૂંટીને જતા રહેતા હતા. ત્યારે પાડોશના ગામમાંથી પસાર થતા એક મુસ્લિમ મહિલાએ જોયું કે, ઝુલાસણ ગામમાં લૂંટ મચી છે. તેઓ ત્યાં જ રોકાઈ ગયાને લૂંટારુઓ સામે બાથ ભીડી અને લડતા-લડતા મૃત્યુ પામ્યા. આજે જ્યાં મંદિર છે ત્યાં જ તેમનું મોત થયું હતું. તેના ઘણા વર્ષો બાદ તેમના નામ પર મંદિર બન્યું.
Trending
- ભારતીય ગ્રાહકો માટે ચેતવણી, આ કંપનીની હજારો કાર ખરાબ થઈ કંપનીએ ચેતવણી જારી કરી
- BSF સૈનિકો આ રીતે બીયર અને દારૂની બોટલોનો ઉપયોગ કરે છે, કારણ જાણીને તમે ચોંકી જશો
- વિજયા એકાદશી પર શું ખરીદી શકાય , જાણો કઈ વસ્તુઓ ઘરે લાવવી શુભ મનાય
- દેશી બ્રાન્ડ લાવ્યું નાનું ઉપકરણ, તમારી કિંમતી વસ્તુઓ ખોવા નહીં દે
- મહાશિવરાત્રીના વ્રત પર બટાકાના ગોળા બનાવો, આ સરળ રેસીપી નોંધી લો
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી