મંદિર પાસે ચાલતું રસ્તા રિપેરીંગનું કામ સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેક્ટર યાત્રાધામ ડાકોરની મુલાકાતે યાત્રાધામ ડાકોર મંદિરની બહાર રસ્તાનું નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું હોય, યાત્રાળુઓને પડતી અગવડતા અંગે ની નોંધ લઈ પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેકટર સી.પી. પટેલ ડાકોરની મુલાકાતે દોડી આવ્યા હતા. પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેકટર દ્વારા સૌપ્રથમ મંદિરની આજુબાજુ એ કરેલ ખોદકામ તેમજ ગામની અનેક જગ્યાના ગટરના કામોની સ્થળ તપાસ કરી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પણ ચર્ચા કરી હતી. તેઓ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, એજન્સીયર અને ઇન્ચાર્જ પ્રમુખને તાકીદ કરીને જણાવ્યું કે આ રસ્તાનું કામ જેમ બને તેમ વહેલા કરી દેવું. આવનાર યાત્રિકોની સલામતીની જાણ કરીને સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી હતી કે પહેલા તમો આ મંદિર સામેની ગટરલાઇન યોગ્ય પ્રમાણમા સમારકામ કરી મંદિરની આજુબાજુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવો તે જરૂરી છે. જેટલું બને એટલું જલ્દી મંદિર બહારના રોડનું કામ પૂરું કરવા આદેશ આપ્યો હતો. આગામી 14 જૂનના રોજ યાત્રાધામ ડાકોરમાં જેઠ પૂનમ આવનાર હોઈ મોટી સંખ્યામાં ભક્તો આવસે, તે પહેલા પાલિકા તમામ પેન્ડિંગ કામ પૂર્ણ કરે છેકે કેમ તે જોવું રહ્યું. જો કે આ રસ્તાનું કામ સત્વરે પૂર્ણ થાય તો બહારથી આવતાં યાત્રાળુઅો અને સ્થાનિક રહિશોને રાહત થશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો