અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવાના પ્રોજેક્ટ પર મોદી સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. આ જ કારણ છે કે, સોમવારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ અધિકારીઓની ટીમની સાથે સૂરતથી લઈને નવસારી સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લાઈનનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, તેઓ 2026માં ગુજરાતના સૂરત અને બિલિમોરાની વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રત્યે આશ્વસ્ત છે. તેઓએ કહ્યું કે, આ દિશામાં ઘણું સારી રીતે કામ થયું છે. તેઓએ કહ્યું કે, અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન માટે પાયાના ઢાંચાના નિર્માણમાં સારી પ્રગતિ થઈ છે અને કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે સુરતના ચોર્યાસી તાલુકાના વકતાણા ગામ પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના વિભાગીય કાસ્ટિંગ યાર્ડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન અંતોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રેલ્વે રાજ્ય મંત્રી દર્શન જરદોશ સાથે નવસારીના નસીલપુર પણ ગયા હતા જ્યાં તેમણે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત પણ લીધી હતી.રેલમંત્રીએ આપી જાણકારીનિરીક્ષણ બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 61 કિમીના રૂટ પર પિલર લગાવવામાં આવ્યા છે અને લગભગ 150 કિમીના રૂટ પર કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાંથી 91 ટકા એલિવેટેડ છે, માત્ર ચાર કિલોમીટર લાંબી લાઇન જમીન પર છે. તેમણે કહ્યું કે સાત કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રમાં સમુદ્રમાંથી પસાર થશે. તેમણે કહ્યું કે,આ લાઇન પર કુલ 12 રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં આઠ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં હશે.
Trending
- યુપીમાં પતિના પડછાયામાંથી મુક્ત થઈને ‘પ્રધાનજી’ આત્મનિર્ભર બનશે, આ જિલ્લામાં તાલીમ કાર્યક્રમ શરૂ
- નવ મહિના પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફરી ટ્રેન દોડી , જાણો કેમ બંધ થઈ હતી સેવા
- મેરઠમાં રેપિડ રેલના ટ્રેકને અવરોધતા ૧૬૮ વર્ષ જૂના ધાર્મિક સ્થળ પર બુલડોઝર દોડ્યું, સમિતિ પોતાને દૂર કરી રહી હતી
- તેલંગાણામાં રહસ્યમય બીમારીથી ગભરાટ ફેલાયો, ત્રણ દિવસમાં અઢી હજાર મરઘાં અચાનક મૃત્યુ પામ્યા
- આપણે તેલ અવીવને ધૂળ કરી દઈશું,ઈરાનની ધમકી પર ઈઝરાયલે કહી આ વાત
- જ્યારે બેન્જામિન નેતન્યાહૂ ગુસ્સે થતા હમાસે ભૂલ સ્વીકારી, શિરી બિબાસનો અસલી મૃતદેહ ઇઝરાયલને સોંપ્યો
- યુપીમાં પટાવાળાની દીકરીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, પરિવારની સાથે પડોશીઓ પણ ચોંકી ગયા
- યુપીમાં કોલેજથી પરત ફરી રહેલી છોકરી પર રસ્તો રોકીને કરાયો હુમલો, ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો