પાટણના માર્કેટયાડોમાં ઘઉંના ભાવ પડ્યા આસમાને આબેલી મોંઘવારી ઘટાડવા માટે સરકારે પગલાં લીધા છે જેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મુકતાં અને સૂર્યમુખી તેલની આયાત ડ્યૂટી દૂર કરતા તેની સીધી અસર ખેત પેદાશોના ભાવ પર પડી છે જેમાં પાટણ , હારિજ સહિતના માર્કેટયાર્ડોમાં રાયડો અને ઘઉંનાં ભાવ ઘટવા માંડ્યા છે . જેના કારણે માર્કેટયાર્ડોમાં આવક ઉપર પણ અસરો પડી રહી છે . પરંતુ આ વખતે ખેડૂતોને સિઝનમાં રાયડો , ઘઉં અને દિવેલામાં ભાવ દર વર્ષની સરખામણીએ ઉત્તમ મળ્યા છે . સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા 10 દિવસમાં પ્રતિ મણે રૂ . 60 નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ . 580 થી 630 ના ભાવ હતા તે ઘટીને રૂ . 540 થી 570 થઈ ગયા છે . જ્યારે થોડી હલકી ગુણવત્તાના રૂ . 430 થી 490 હતા . જે રૂ . 390 થી 440 થયા છે . તે જ રીતે રાયડાના ભાવ પર પણ અસર પડી છે . જેમાં 15 દિવસ પહેલા રાયડાના રૂ . 1240 થી 1370 ના ભાવ હતા જે ઘટીને રૂ . 1210 થી 1217 ના ભાવ થયા છે એટલે કે રૂ . 53 નો ઘટાડો થયો છે .
Trending
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત
- રવિના ટંડને સમૂહ લગ્ન સમારોહમાં એક યુગલને પોતાના લગ્નના બંગડી ભેટમાં આપ્યા
- શું ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ફેરફાર કરશે? પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત છે.
- થોડા વધુ દિવસો રાહ જુઓ, સુનિતા વિલિયમ્સ આ દિવસે પૃથ્વી પર આવશે.
- તેલંગાણા ટનલમાં અકસ્માત, 8 કામદારો 14 કિમી અંદર ફસાયા