ગુજરાત રાજ્યના પૂર્વ મહામંત્રી કે.સી પટેલના વરદ હસ્તે રૂપિયા 58 લાખના ખર્ચે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના ની ગ્રાન્ટ માંથી આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.પાટણ શહેરના વોર્ડ નંબર 6 અને 7ના નગરપાલિકા દ્વારા જલારામ મંદિર ચોક થી ટેલીફોન એકસચેન્જ થી સારથી બંગલો સુધીના ગેટ સુધી અને યશ બંગલો થી સત્યમ શિવમ સુન્દરમ સોસાયટી સુધી ના રોડ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પાટણનો દિનપ્રતિદિન વિકાસ થાય તેને અનુલક્ષીને વિવિધ ગ્રાન્ટો માંથી પાટણના વિકાસના કામો ઝડપથી હાથ ધરવામાં આવ્યા છે. નગરપાલિકા નવી ટીમ ખૂબ સુંદર કાર્ય કરી રહી છે.ત્યારે પાટણને વિકાસની ગતિમાં આગળ વધારવું છે તેવા પ્રયત્નો નગરપાલિકા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ વોર્ડ નંબર છ તથા સાતના કોર્પોરેટર મુકેશભાઈ જે. પટેલ રાજેન્દ્ર ભાઈ હિરવાણી, રમેશભાઈ પટેલ, કામિનીબેન પ્રજાપતિ તથા શૈલેષભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ , જયેશભાઈ પટેલ વગેરે કોર્પોરેટરો ખાસ હાજર રહ્યા હતા.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર