પાટણ નવાસર્કિટ હાઉસ ખાતે અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજાયો પાટણ નવા સર્કિટ હાઉસ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો અટલ ભૂજલ યોજનાનો એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો હતો . જેમાં જિલ્લા કલેકટર ડી . એમ . સોલંકી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભરત જોષી , જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રરહ્યા હતા . આ યોજનાએ વિશ્વ બેંકના સહયોગ થી ચાલતી યોજના છે . અને ગ્રામ સમુદાયોને સાથે લઈને ચાલતી આ પ્રથમ યોજના છે . આ યોજના 2025 સુધી ચાલશે જેમાં ભારત સરકારે ગુજરાતના 756 કરોડની ગ્રાન્ટ ફાળવી છે . આ યોજનાની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે . દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી જેનાથી 2024 સુધી દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સરકારના સંકલ્પને મદદ મળશે . અટલ ભૂજલ યોજના ( અટલ જલ ) ની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન , નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે . અટલ ભૂજલ યોજનાનું લક્ષ્ય દેશના જુદા – જુદા ભાગોમાં ભૂગર્ભ જળના સ્તરને ઊંચુ લાવવાનું છે . ભૂગર્ભ જળના સ્તર વધારો કરવાથી પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે અને તેની સાથે ખેડૂતોને ફાયદો પહોંચાશે . ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી.
Trending
- લખનૌ ચારબાગમાં એટલી ભીડ હતી કે મહાકુંભ સ્પેશિયલ આવતાની સાથે જ ભરાયું, 14 ટ્રેનો પણ ઓછી પડી ગઈ
- બરેલીમાં ઘરમાં 8 અને 5 વર્ષની બાળકીઓ પર બળાત્કાર, આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
- યુપીમાં બાળકોએ દીપડાને બિલાડી સમજીને ટોયલેટમાં બંધ કર્યો , રાત્રે ફેલાયો ભય
- નવા ચહેરાઓ પણ રાજકારણમાં આવશે, સરકારે JPC ને એકસાથે ચૂંટણી કરાવવાનું કહ્યું
- વાયુસેનાને તેજસ ફાઇટર જેટ મળવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? એક મહિનાની સમયમર્યાદા અપાઈ
- યુપીના મૈનપુરીમાં મિત્રોના કારણે વરરાજાએ ગુસ્સો થયો , દુલ્હનની સામેના આ નિર્ણય લગ્નનો માહોલ બગાડ્યો
- પાકિસ્તાનનું ગ્વાદર એરપોર્ટ ઉજ્જડ, ચીને તેને બનાવવા માટે અબજોનું રોકાણ કર્યું
- લખનૌમા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 7 ફાયર એન્જિન દ્વારા આગ ઓલાવવામાં આવી