પાટણ જિલ્લા તમામ કોર્ટોમાં 26 જૂને નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું પાટણ જિલ્લા તથા તાલુકાઓની કોર્ટોમાં 26 જૂનને રવિવારે નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું છે . સુપ્રિમકોર્ટના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય , રાજય અને જિલ્લા તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા આયોજિત લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો , નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટને લગતા કેસો , વાહન અકસ્માતને લગતા કેસો , મજુર તકરારને લગતા કેસો , લગ્ન જીવન તકરાર કે પરીવાર તકરાર ને લગતા કેસો ( છૂટાછેડા સિવાયના કેસો ) , બેંક ને લગતા દાવાઓ , જમીન વળતરને લગતા કે અન્ય દાવાઓ , દિવાની કેસો વિગેર સમાધાનને લાયક તમામ કેસો લોક અદાલતમાં મુકી ‘ શકાય , પ્રિલીટીગેશન કેસો એટલેકે જે કેસો કોર્ટમાં આવેલ ન હોય પરંતુ પક્ષકારો વચ્ચે તકરાર હોય , તે તકરારોનાં કોર્ટમાં કેસ આવે તે પહેલા સુખદ નિકાલ આવે તે અંગે લોક અદાલતમાં મુકવામાં આવે છે . અરજદારોએ કોર્ટોનો સંપર્ક કરવા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી એમ . આર . ઠક્કર ની યાદીમાં જણાવ્યું છે
Trending
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા