પાટણ જિલ્લામાં વન વિભાગ દ્વારા પ્રાણીઓની તરસ છીપાવવા દરરોજ 40 હવાડા ભરાય છે કાળઝાળ ગરમીમાં ગરમીનો પારો 45 ડીગ્રીએ ધખધખી રહ્યો છે . ત્યારે આ ગરમી પશુ પક્ષીઓ માટે ભારે મુશ્કેલીરૂપ બની રહી છે . પાટણ જિલ્લા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં રહેતા પશુ પક્ષીઓ માટે જિલ્લાના કચ્છના નાના રણ સહિતના જંગલ વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર 40 હવાડામાં પાણી ભરવાની કામગીરી ચાલી રહી છે . જિલ્લાના સરહદી તાલુકાઓ સમી , રાધનપુર અને સાંતલપુરનો કેટલોક ભાગ કચ્છના નાના રણમાં આવેલો છે . આ રણ વિસ્તારને સરકાર દ્વારા અભ્યારણ જાહેર કરવામાં આવ્યુ છે . જેથી અહીં વસતા 500 જેટલા નીલગાય , ભુંડ , શિયાળ , સસલા , ઘુડખર ( જંગલી ગધેડા ) , રોઝ , ચિકારા , ઝરખ અને લોમડી જેવા જંગલી પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારના પક્ષીઓનું સંરક્ષણ થઇ શકે . હાલમાં ઉનાળાની સિઝનમાં ગરમીનો પારો ઉચકાઇને 44 થી 45 ડીગ્રીએ પહોંચી જતા મનુષ્યો , પ્રાણીઓ , પક્ષીઓ અને પશુઓ ગરમીથી તોબા પોકારી ઉઠવા છે અને ગરમીથી બચવાના પ્રયાસો કરતા હોય છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં સૌથી વધુ જરુરીયાત પાણીની હોય છે
Trending
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા