પાટણના ઈશ્રમ કાર્ડ અપાવવા પાલિકા દ્વારા 1 મહિનામાં 3100 સ્થળ પર સર્વે પાટણ શહેરમાં કાર્યરત ધંધા રોજગાર અને વ્યવસાય ઉદ્યોગ એકમો ખાતે કામ કરતા અસંગઠિત કર્મચારીઓ કામદારોને કેન્દ્ર સરકારની ઇ શ્રમ યોજનાનો લાભ મળે તે માટે નગરપાલિકા દ્વારા બે ટીમો દ્વારા સંપર્ક કરીને ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાની કામગીરી હાથ ધરત છે . એક મહિનામાં 3100 દુકાનો ઓફિસ તેમજ અન્ય ધંધા – રોજગાર પર કાઉન્સિલીંગ કર્યું છે . નગરપાલિકા ગુમાસ્તા શાખા અધિકારી મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ પાલિકા વિસ્તારમાં એક મહિનાથી બે ટીમો બનાવીને દુકાન કે વ્યવસાય કેન્દ્ર પર જઈને તેમના ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ કામદારોનું કાર્ડ બનાવવા માટે કાઉન્સેલિંગ કરી રહ્યું છે . અત્યાર સુધીમાં અનાવાડા ચાર રસ્તાથી શરૂ કરી મુખ્ય બજાર , રેલવે ત્રણ રસ્તા , પાલિકા બજાર રોડ તેમજ સુભાષચોક , જુના ગંજ બજાર તેમજ અન્ય સંબંધિત બજારોમાં કામગીરી કરી છે . હાલમાં બસ સ્ટેશન રોડ પર કામગીરી ચાલી રહી છે . તે પછી હાઈવે વિસ્તારમાં સર્વે કરાશે . શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઈ શ્રમ પોર્ટલમાં અસંગઠિત શ્રમયોગી દ્વારા નોંધણી કર્યેથી બાર આંકડાનો યુએએન નંબર ફાળવાય છે . જે દેશભરમાં માન્ય ગણાય છે . પોર્ટલ ઉપર નોંધાયેલા દરેક શ્રમયોગીને મૃત્યુ અથવા કાયમી વિકલાંગતાના કિસ્સામાં રૂ . 2 લાખ અને અંશતઃ વિકલાંગતામાં રૂ . 1 લાખ અકસ્માત વિમાનો લાભ મળવાપાત્ર થાય છે . ઇ શ્રમ વેબસાઈટ ઉપર જઈને જાતે અથવા કોમન સર્વિસ સેન્ટર પર જઈ નોંધણી કરાવી શકાય છે.
Trending
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા