બાળકોમાં સાહસ વૃતિ કેળવવામાં આવે તો તેઓ કોઈપણ સાહસ ખેડવા તૈયાર હોય છે બસ તેને યોગ્ય માર્ગદર્શનની જરૂર હોય છે જૂનાગઢમાં આવા પાંચ થી ૧૩ વર્ષના 13 બાળકોએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મોટા લોકો ન કરી શકે તેવું સાહસ કર્યું હતું અને સવારે છ વાગ્યે જુનાગઢ થી સોમનાથ સુધીની 105 કિ.મી.ની સ્કેટિંગ યાત્રા શરૂ કરી હતી આ બાળકો સાથે તેના માતા-પિતા અને સ્કેટિંગ કોચ સાથે રહ્યા હતા વિશ્વ કલ્યાણ અર્થે અને પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે આ બાળકો જુનાગઢ થી સોમનાથ સુધીની સ્કેટિંગ યાત્રાએ જતા હોવાથી જાણ થતાં કેશોદના આગેવાનોએ શહેરમાંથી પસાર થવા વિનંતી કરતા બાળકો શહેરમાંથી પસાર થયા હતા તેનું કેશોદના આગેવાનોએ અને લોકોએ ઉત્સાહ સાથે સ્વાગત કર્યું હતું બાદમાં તેઓ સોમનાથ જવા રવાના થયા હતા અને બપોરે બે વાગ્યે સોમનાથ મંદીર ખાતે પહોંચ્યા હતા અને મહાદેવના દર્શન કર્યા ને ત્યાં પણ આ બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું અખંડ ભારત સંઘ ની પ્રેરણાથી બાળકોનું સાહસ જોઈ જ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર