પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ પરથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં જનરલ ડબ્બાનું જોડાણ થતા આગામી મહિનાની 1 તારીખથી મુસાફરો જનરલ ટિકિટ પર મુસાફરી કરી શકશે. અમદાવાદ વિભાગમાંથી અંદાજે 21 ટ્રેનો પસાર થઇ રહી છે જેમાં જનરલ ટિકિટની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.અત્યાર સુધી રિઝર્વેશન ટિકિટ પર મુસાફરી કરી શકતી હતી અને કોરોના સમયે જનરલ કોચ બંધ કરી દેવામાં આવ્યા હતા જો કે હવે જનરલ કોચ શરુ કરતા ફરીથી લોકોને સામાન્ય આરક્ષણ વગરની ટિકિટ મળી રહેશે. જનરલ ટિકિટ મળવાની શરૂ થતા હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર માટે ટ્રેનની મુસાફરી સસ્તી બની રહેશે. અંતિમ ઘડીએ મુસાફરી કરવા માંગતા મુસાફરો માટે રાહતના સમાચાર છે.કઈ કઈ ટ્રેનમાં જનરલ ટિકિટ ઉપલબ્ધ થશેમુંબઈ સેન્ટ્રલ -અમદાવાદ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ ટ્રેનોમાં હવે જનરલ ટિકિટ મળશે. બાંદ્રા અમદાવાદ બાંદ્રા સુપરફાસ્ટ, બાંદ્રા ગાંધીનગર બાંદ્રા સુપરફાસ્ટ, દાદર ભુજ દાદર સુપરફાસ્ટ, વલસાડ અમદાવાદ વલસાડ મેલ એક્સપ્રેસ, અમદાવાદ વેરાવળ અમદાવાદ સુપરફાસ્ટ, ગાંધીનગર ઇન્દોર ગાંધીનગર મેલ એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ ટિકિટ મળશે. અત્યાર સુધી આખી ટ્રેનમાં રિઝર્વેશન પર જ મુસાફરી કરી શકતી હતી પરંતુ હવે જનરલ ટિકિટમાં પણ મુસાફરી કરી શકાશે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર