પયૉવરણ બચાવો અભિયાન અંતર્ગત પાટણ ખાતે 200 છોડનું વિતરણ કરાયું આપણું પાટણ હરિયાળું પાટણના સંકલ્પને ચરિતાર્થ કરવા નિવૃત્તિ માં પયૉવરણ જાગૃતિ ની પ્રવૃતિ કરી રહેલાં પાટણના પયૉવરણ પ્રેમી સાથે કૃષિ વૈજ્ઞાનિક શાંતિભાઈ પટેલ દ્વારા રવીવારની રજાના દિવસે પણ શહેરના નવાગંજ બજાર માં કાયૅરત સરદાર બેંક નાં અધીકારી ગણ અને કમૅચારી ગણ સાથે પયૉવરણ જાળવણી , પ્લાસ્ટિકની વસ્તુઓને જાકારો , જળસંચય , પાણી બચાવો , વૃક્ષોનુ મહત્વ , વૃક્ષો જીવંત ઓક્સિજન પ્લાન્ટ જેવી વિવિધ બાબતે સચોટ માગૅદશૅન પુરૂ પાડી પયૉવરણ નાં જતન માટે મુક્ત મને ચર્ચા કરી હતી . પયૉવરણ પ્રેમી સાથે કૃષિ વૈજ્ઞાનિક શાંતિભાઈ પટેલે પાટણ શહેર ને હરિયાળું બનાવવા ઉપસ્થિત બેંક સ્ટાફને 200 જેટલા શોભાના છોડવાઓ નુ નિઃશુલ્ક વિતરણ કરી પયૉવરણ નાં ઉછેર અને તેની જાળવણી બાબતે સંકલ્પ ગ્રહણ કરાવ્યા હતા . પયૉવરણ બચાવો અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ પાટણના પ્રમુખ ડો. પારસભાઈ ખમાર , મંત્રી જીતુભાઈ ઓતિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર
- ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પરિવારનું પ્રભુત્વ , સમજો શું છે આખો મામલો
- ‘ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેવા કરોડો લોકો અહીં છે…’, ઉપરાષ્ટ્રપતિ ધનખડ આ અંગે વાત કહી
- મણિપુરમાં લૂંટાયેલા હથિયારો પાછા આવવા લાગ્યા, રાષ્ટ્રપતિ શાસન પછી આતંકવાદીઓ નરમ પડ્યા
- હોળી આવતાની સાથે જ ભેળસેળ શરૂ થઈ , ફૂડ સિક્યુરિટી ટીમે વહેલી સવારે ગોરખપુર પહોંચી દરોડા પાડ્યા
- શક્તિકાંત દાસને PM મોદીના મુખ્ય સચિવ-2 તરીકે કેમ નિયુક્ત કરાયા? જાણો આખી વાત